Site icon

આ વર્ષે શિવસેનાની દશેરા રેલી શિવાજી પાર્કમાં નહીં યોજાય, કોરોનાને લીધે લેવામાં આવ્યો આ નિર્ણય.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020

શિવસેના પાર્ટીની સ્થાપના સાથે જ સ્વર્ગસ્થ બાલા સાહેબ ઠાકરેએ, દર વર્ષે વિજયાદશમી નિમિત્તે મુંબઇના શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું. આ રેલી દ્વારા ઠાકરે તેમના તમામ સમર્થકો સાથે વાતચીત કરતા હતા. તેમની વાત સાંભળવા માટે શિવસૈનીક દાદરના શિવાજી પાર્કમાં રાજ્યના ખૂણે-ખૂણાથી લાખોની સંખ્યામાં  આવતા હતાં. પરંતું આ વખતે શિવસેનાએ કોરોના રોગચાળાને કારણે શિવાજી પાર્કમાં રેલી નહીં કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની લગામ સંભાળ્યા પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આ પહેલી દશેરા રેલી છે. પરંતુ, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, અમે શિવાજી પાર્કમાં રેલી નહીં કરવાનું નક્કી કર્યું છે. આથી હવે આ દશેરા રેલી વીર સાવરકર સ્મારકના સભાખંડમાં યોજાશે. ત્યાંથી ઉદ્ધવ ઠાકરે દેશભરના શિવ સૈનિકો અને મહારાષ્ટ્રની જનતાને સંબોધન કરશે.

સંજય રાઉતે કહ્યું કે રાજ્ય સરકારે અનલોક ગાઇડલાઈન્સ હેઠળ ઘણી જગ્યાએ મુક્તિ આપી છે. પરંતુ આ પછી પણ, મોટા પાયે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધો હજી પણ છે. તેથી, આવા તહેવારની હમણાં ઉજવણી કરવી યોગ્ય નથી. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેની વાત તમામ લોકો સુધી પહોંચે તેથી, તેમના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version