Site icon

મહારાષ્ટ્ર માં આગામી 3 મહિના સુધી 5 રુપીયા માં થાળી ભોજન મળશે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

9 જુલાઈ 2020

આજે કેબિનેટની બેઠકમાં શિવ ભોજન થાળીની કિંમત આગામી 3 મહિના માટે 5 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે 30 માર્ચથી ત્રણ મહિનાના સમયગાળા માટે શિવભોજન થાળીની કિંમત 10 રૂપિયાને બદલે 5 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જેથી મજૂરો, સ્થળાંતર કરનાર લોકો, ઘરવિહોણા અને શહેર બહારના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સંતોષી શકાય. આ સમયગાળાની યોજનાને વધુ ત્રણ મહિના માટે આગળ વધારવામાં આવી છે અને જે માટે થનારા રૂ .6 કરોડના વધારાના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે જ હવેથી તમામ સરકારી બેંકિંગ ટ્રાન્ઝેક્શન 15 જિલ્લાની બેંકોમાં કરવામાં આવશે.  કેબિનેટે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન સિવાય અન્ય સરકારી બેંકિંગ વ્યવહારો કરવા માટે 15 જિલ્લા મધ્યસ્થ બેંકોને મંજૂરી આપી છે.. જેમાં મુંબઇ, થાણે, રાયગઢ, રત્નાગિરી, સાંગલી, કોલ્હાપુર, લાતુર, અકોલા, સિંધુદુર્ગ, નગર, પુના, સાતારા, ભંડારા, ચંદ્રપુર અને ગડચિરોલી જિલ્લા મધ્ય સહકારી બેંકોનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે મહારાષ્ટ્ર ગ્રામીણ બેંક, વિદર્ભ – કોંકણ ગ્રામીણ સહકારી બેન્કો, કોંકણ ગ્રામીણ બેંક, બે પ્રાદેશિક ગ્રામીણ બેંકો, આઈડીબીઆઈ બેંક અને જિલ્લા મધ્યસ્થ બેન્કોને સરકારી બેંકિંગ વ્યવહારો તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને નિગમોમાં રોકાણ માટે નિયુક્ત કરવામાં આવી છે. જે નાણાં પૂરાં પાડશે અને આમ આ બેંકોની સ્થિતિ સુધારવામાં પણ મદદરૂપ બનશે….

  ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZU6FR8 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version