Site icon

એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને ફરી આપશે ઝટકો, ભીમશક્તિ, શિવશક્તિ આવશે એકસાથે.. આજે થઇ શકે છે આ જાહેરાત!

Islam, Hindutva and traitors... Uddhav and Shinde's attacks on each other

Islam, Hindutva and traitors... Uddhav and Shinde's attacks on each other

News Continuous Bureau | Mumbai

છેલ્લા ઘણા દિવસોથી શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે રાજકીય લડાઈ ચાલુ છે. બંને જૂથો પોતાની તાકાત બતાવવાની કોઈ તક છોડતા નથી. એક તરફ શિવસેનાનો ઠાકરે જૂથ વિભાજનના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ શિંદે જૂથ ઠાકરે જૂથને આંચકો આપવાની કોઈ તક છોડતું નથી.

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશ આંબેડકરના પ્રયાસોથી ઠાકરે જૂથ અને વંચિત બહુજન આઘાડી વચ્ચે ગઠબંધન થવાના સંકેતો છે. તેથી રાજ્યમાં નવી ભીમશક્તિ-શિવશક્તિનો ઉદય થશે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે ફરી એકવાર એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે.

 કારણ કે નવી ભીમશક્તિ અને શિવશક્તિ એકસાથે આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. શિંદે જૂથ આજે ગઠબંધન અંગે પોતાની સ્થિતિ જાહેર કરશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રિપબ્લિકન પાર્ટી ઓફ કવાડે ગ્રુપના પ્રમુખ જોગેન્દ્ર કવાડે આજે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ ગઠબંધનને કારણે ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીને નુકસાન થવાની ધારણા છે. 

આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેએ વિક્રમ સર્જયો, માત્ર 9 મહિનામાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ, વાંચો અહીં સંપૂર્ણ વિગતો

 જોગેન્દ્ર કવાડે શનિવારે મોડી રાત્રે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના થાણેના નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગઠબંધન અંગે લાંબી ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમને ગઠબંધન અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ ચર્ચા મુજબ આગામી ચૂંટણીમાં શિવશક્તિ અને ભીમશક્તિ સાથે મળીને લડશે તેમ જોગેન્દ્ર કવાડેએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી વચ્ચે ગઠબંધન ચાલી રહ્યું છે. બંને પક્ષોના મોટા નેતાઓ આ અંગે ઘણી વખત સંકેતો આપી ચૂક્યા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  

 

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version