Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારા સમાચાર : ચૂંટાતાંવેંત પોત પ્રકાશ્યું; તામિલનાડુમાં રાજીવ ગાંધીના હત્યારાને જેલથી મુક્તિ આપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

તામિલનાડુમાં હવે ડીએમકેની સરકાર છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને સત્તા પર આવતાંવેંત પોતાની પાર્ટીના એજન્ડા પર ચાલવાનું શરૂ કરી દીધું છે. સ્ટાલિને સત્તાની કમાન સંભાળ્યા બાદ રાજીવ ગાંધીના હત્યારાઓમાંનો એક એવો પેરીરવલને જેલમાંથી છોડવાના આદેશ આપી દીધા છે. તામિલનાડુ સરકારે તેને ત્રીસ દિવસ માટે રજા આપી છે. ઉલ્લેખનીય છે કે પેરીરવલની જેલમાંથી છૂટવાની અરજી પર રાજ્યપાલ, કોર્ટ કે પછી ભારત સરકારે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ આ પરંપરા તોડીને સ્ટાલિને જાતે ઑર્ડર કાઢીને પેરીરવલને મુક્તિ આપી છે.

તામિલનાડુમાં કૉન્ગ્રેસ પાર્ટી ડીએમકે સાથે સત્તામાં છે. આવા સમયે ડીએમકેએ કૉન્ગ્રેસ પાર્ટીને પૂછ્યું પણ નથી કે તેમણે રાજીવ ગાંધીના હત્યારાઓને જેલમાંથી છોડવા જોઈએ કે નહીં.

Supreme Court Hearing Shiv Sena Symbol શિવસેના નામ અને પ્રતીક વિવાદ સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ અંતિમ તબક્કામાં, કોના ફાળે જશે અસલી શિવસેના?
Maharashtra SIR Update Election Commission મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વેગવાન ડોર્ડટુડોર વેરિફિકેશનની સમયમર્યાદા લંબાઈ, જાણો નવી તારીખ
Maharashtra Bans Analogue Paneer નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! નકલી અને ‘એનાલોગ પનીર’ ના વેચાણ પર પ્રતિબંધ, જેલ અને દંડની જોગવાઈ
Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Exit mobile version