ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ! મરાઠી ગ્રંથ સંગ્રહાલયની ચૂંટણીમાં ફક્ત આટલા મતદાર આપશે મત;જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
તાજેતરમાં જ મરાઠી ગ્રંથાલયની સાધારણ સભાની ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીમાં રહેલા વિવાદ હજી શમ્યા નથી ત્યાં હવે સંગ્રહાલયના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, એને કારણે ફરી એક નવા વિવાદે જોર પકડયું છે.  
નવાઈ લાગે એમ  મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયની ચૂંટણીમાં 6 હજાર કરતાં વધુ મતદાર હોવા છતાં ચૂંટણીમાં ફક્ત 34 મતદાર જ મત આપી શકશે. એવી ચોંકાવનારી માહિતી રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટમાં  બહાર આવી છે. આ બાબતે ચૅરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવવાની છે.

વ્યાપાર સમાચાર: શાળા કોલેજો શરૂ થયા બાદ પણ મુંબઈમાં સ્ટેશનરી વ્યવસાયને ખાસ ગતિ મળી નથી 
રાઇટ ટુ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ ચૅરિટી કમિશનર, મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયના અધ્યક્ષ શરદ પવાર, ચૂંટણી અધિકારી અને ભોઈવાડા પોલીસ સ્ટેશનને આ બાબતે પત્ર લખીને ફરિયાદ કરી છે. ગ્રંથાલય સંસ્થાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની ચૂંટણી માટે 5 ઑક્ટોબર, 2021ના સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. એ મુજબ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં મતદાનનો અધિકાર ફક્ત સામાન્ય સભામાં ચૂંટાઈ આવેલા 34 સભ્યોને જ છે. 
અનિલ ગલગલીના કહેવા મુજબ એવો કોઈ  નિયમ નથી કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ફકત સામાન્ય સભામાં ચૂંટાઈ આવેલા સભ્યો જ મતદાન કરી શકે. આ ચૂંટણી ઓપન હોવાથી સંગ્રહાલયના તમામ બ્રાન્ચના સભાસદોને મતદાન કરવાનો અધિકાર મળવો જોઈએ. છતાં નિયમ બહાર જઈને રાખવામાં આવેલી આ ચૂંટણીને રદ કરવી જોઈએ. એ મુજબની માગણી પણ તેમણે કરી છે.  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More