Site icon

આ ગામમાં પાણી ન મળતાં6 વર્ષની બાળકીનું મૃત્યુ થયું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક 6 વર્ષની બાળકીને પાણી ન મળતાં તેનું મૃત્યુ થયું છે. બાળકી અને તેનાં નાની  45 ડિગ્રી ગરમીમાં રેતીમાં પગપાળા પ્રવાસ કરી રહ્યાં હતાં. જ્યારે ગ્રામીણ લોકોના પ્રકાશમાં આ વાત આવી ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધાને પાણી પીવડાવ્યું હતું અને હૉસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ બીજી તરફ માસૂમ બાળકીનું મૃત્યુ થતાં તેને પણ પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં મોતનું કારણ પાણી ન મળવાનું જાણવા મળ્યું હતું. 60 વર્ષીય સુખીદેવી પોતાની પૌત્રી અંજલિ સાથે સિરોહી પાસે રાયપુરથી બપોરે રાનીવાડાના ડૂંગરી સ્થિત પોતાના ઘરે જતાં હતાં. કોરોના મહામારીને કારણે રાજ્યમાં વાહનોની અવરજવર બંધ હતી અને કોઈ સાધન ન મળતાં તેમણે પગપાળા પ્રવાસ કરવાની ફરજ પડી હતી.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય ; આ વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ પ્રવાસીઓ માટે આજથી ફરી ખુલ્લું મુકાયું

ઉલ્લેખનીય છે કે આશરે 20થી 25 કિલોમીટર ચાલ્યા બાદ બન્ને થાકી ગયાં હતાં. આ દરમિયાન બન્નેને તરસ લાગી હતી. પાણી ના મળવાને કારણે રોડા ગામ પાસે માસૂમ અંજલિનું મોત થયું હતું. બીજી તરફ સુખીદેવી બેભાન થઈને પડી ગયાં હતાં. આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી છે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version