Site icon

જરા ચેતજો, મુંબઈ શહેરમાં નાની હોસ્પિટલને કારણે કોરોના વધી રહ્યો છે?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

મુંબઈ શહેરમાં કોરોના ને કારણે મૃત્યુદર વધવાના કારણો ને લઈને, નાની હોસ્પિટલો-નર્સિગ હોમ અને ટાસ્ક ફોર્સ ના સભ્યો સામસામે આવી ગયા છે. મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા નિયુક્ત કોવિડ-19 ફોર્સના જણાવ્યા મુજબ શહેરની નાની હોસ્પિટલો અને નર્સિંગ હોમ સારવાર અંગેના મેડિકલ ગાઈડલાઈનનું પાલન કરતી નથી. દર્દીની તબિયત એકદમ કથળી જવા માંડી હોય ત્યાર બાદ મોટી હોસ્પીટલોમાં રીફર કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, "સરકારી હોસ્પિટલમાં આવનારા મોટા ભાગના દર્દીઓની હાલત ખૂબ નાજુક હોય છે અને મોટાભાગના દર્દીઓને નાના નર્સિંગ હોમમાંથી લાવવામાં આવ્યા હોય છે." લગભગ દરેક કાસ ફોર્સમાં નોંધ્યુ છે કે "નાની હોસ્પિટલો એ સારવારમાં ગોટાળા કર્યા હોય અથવા તો મોટી હોસ્પીટલોમાં મોકલવામાં ઘણો વિલંબ થઈ ગયો હોય છે." 

મુંબઈમાં હાલ મૃત્યુ દર વધીને 3 થી 4 ટકા થયો છે. જેને એક ટકા પર લાવવા મનપાએ 'મીશન સેવ લાઈવ્ઝ' અભિયાન શરૂ કર્યું છે. ટાસ્ક ફોર્સ એ એવા નર્સિંગ હોમની ઓળખ કરી છે જ્યાં 50 થી પણ ઓછા બેડ અને ICU જેવી સુવિધા ઉપલબ્ધ નથી. આમાંના મોટાભાગના અંધેરી અને બોરીવલી વચ્ચે આવેલા છે. ટાસ્ક ફોર્સના જણાવ્યા મુજબ નર્સિંગ હોમને ગંભીર દર્દીઓને દાખલ કરવાનો અધિકાર નથી. તેમણે તરત જ મોટી હોસ્પિટલમાં રિફર કરવાનું હોય છે. 

જોકે ખાનગી ડોક્ટર્સનું કહેવું છે કે "નાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ ને બલિનો બકરો બનાવાઇ રહ્યો છે. અમે બીએમસી ના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. ઊલટાનું પાલિકા પર બેડ વધારવાનું દબાણ હતું ત્યારે ખાનગી-નાની હોસ્પિટલોને વિચાર્યા વગર કોવિડની ફેસીલીટી માં બદલી નાખી હતી. પરંતુ, હોસ્પિટલમાં નથી ICU કે નથી કોરોનાને લગતી કોઇ સુવિધા.. એટલે સ્વાભાવિક છે કે દર્દી સરકારી અથવા તો મોટી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી હાલત કથળી ચૂકી હોય છે અથવા તો મોત થઈ ચૂક્યું હોય છે અને, આ જ કોરોનાનું મૃત્યુ દર વધવાનું મોટું કારણ છે. એમ એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટ ના પ્રમુખે જણાવ્યું હતું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Bihar: બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ જાહેર: 20 નવેમ્બરે ગાંધી મેદાનમાં ભવ્ય સમારોહ, PM મોદી પણ આપશે હાજરી
Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version