Site icon

તો શું NIA મહારાષ્ટ્રના પાંચ પ્રધાનોની તપાસ કરશે?ચોંકાવનારી માહિતી સામે આવી;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ગેરકાયદે વસૂલીની ફરિયાદ કરનાર બિલ્ડરે તપાસ કરનારાઓને જણાવ્યું છે કે આ વર્ષે માર્ચમાં તેમના ભૂતપૂર્વ વેપારી ભાગીદાર અને સિંહના એક નજીકના સાથી સાથેની મુલાકાત દરમિયાન તેમણે તેમને એમ કહેતાં સાંભળ્યા હતા કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) મહારાષ્ટ્રના ચારથી પાંચ પ્રધાનોની તપાસ કરશે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં પડી જશે. એમ પોલીસ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું.

બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલ પાસેથી 15 કરોડ રૂપિયાની માગણી કરવા બદલ મુંબઈ પોલીસે સિંહ વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો બુધવારે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અગ્રવાલના ભૂતપૂર્વ સાથી સંજય પૂનમિયા (55) અને તેના સાથી સુનીલ જૈન (45)ની ધરપકડ કરવામાં આવી છે. અગ્રવાલની ફરિયાદના આધારે પોલીસે પરમબીરસિંહ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો છે. અગ્રવાલની ફરિયાદ મુજબ, 2011માં વિવાદોને કારણે તેમની ભાગીદારી સમાપ્ત થઈ ગયા પછીપૂનમિયાએ અગ્રવાલ સામે કથિત ખંડણી અને છેતરપિંડીના ઓછામાં ઓછા 18 કેસ દાખલ કર્યા હતા.

મ્હાડાની લોકોને દશેરા ગિફ્ટ; દશેરાને દિવસે ૯,૦૦૦ ઘરની કાઢશે લૉટરી, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે અગ્રવાલે પોલીસને જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન પૂનમિયાને તેના ફોન પર પરમબીર સિંહ, ડીસીપી અકબર પઠાણ અને અન્ય અધિકારીઓના કૉલ આવ્યા હતા. અગ્રવાલે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કેતેમના ફોન કૉલ દરમિયાનતેમણે પૂનમિયાને તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સિંહે લખેલા 100 કરોડના પત્ર અંગે ચર્ચા કરતા સાંભળ્યા હતા.

CM Yogi: મુસ્તફાબાદને મળ્યું નવું નામ: CM યોગીએ કરી ‘કબીરધામ’ની જાહેરાત
Aurangabad railway station rename: ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે ‘છત્રપતિ સંભાજીનગર’ સત્તાવાર રીતે જાહેર; નવો કોડ ‘CPSN’
Doctor suicide: ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક: અન્ય એક આપઘાત સાથે જોડાયા તાર, ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ચોંકાવનારો દાવો
Ram temple attack: સુરક્ષા એજન્સીઓનો મોટો ખુલાસો: રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડતા આતંકી અદનાનની ધરપકડ, અનેક ધાર્મિક સ્થળો નિશાન પર હતા
Exit mobile version