Site icon

કોરોનાથી બચવા વલખા મારતા રાજ્ય : વધુ એક રાજ્યમાં લોકડાઉન લાગ્યું, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાના વધતા જતા કેસને પગલે દક્ષિણ ભારતના હજી એક રાજ્યએ ૧૦ દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. તેલંગાણામાં કાલે સવારે ૧૦ વાગ્યાથી આવતા ૧૦ દિવસ માટે લોકડાઉન રહેશે. લોકડાઉન દરમિયાન તમામ કર્યો માટે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે.

લોકડાઉનની માહિતી તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે “રાજ્યના મંત્રીમંડળે આવતીકાલે સવારે ૧૦ વાગ્યાથી ૧૦ દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. તમામ પ્રવૃત્તિઓ માટે દરરોજ સવારે ૬થી ૧૦ સુધી લોકડાઉનમાં રાહત આપવામાં આવશે. મંત્રીમંડળે કોવિડ૧૯ રસી ખરીદવા માટે વૈશ્વિક સ્તરે ટેન્ડરોને મગાવવાનો નિર્ણય લીધો છે.”

વેક્સિન ના બે ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા બોલિવૂડ સ્ટાર.

ઉલ્લેખનીય છે કે હવે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ સિવાયના બધા જ રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં આંશિક કર્ફ્યુ છે જયારે તમિલનાડુ અને કર્ણાટકમાં ૨૪ મે સુધી તો કેરેલામાં ૧૬ મે સુધી લોકડાઉન છે.

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version