Site icon News Continuous Bureau | Mumbai

Vande Bharat Express: તામિલનાડુમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, આટલા કોચના કાચ તૂટ્યા..

Vande Bharat Express: તમિલનાડુમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ ચાલતી ટ્રેનને નિશાનો બનાવી હતી. આ હુમલામાં ટ્રેનના અનેક કાચ તૂટી ગયા હતા.

Stone pelting on Vande Bharat Express train in Tamil Nadu, glass of so many coaches were broken

Stone pelting on Vande Bharat Express train in Tamil Nadu, glass of so many coaches were broken

 News Continuous Bureau | Mumbai

Vande Bharat Express: એક તરફ વંદે ભારત દેશના વિવિધ ભાગોમાં લોકોની મુસાફરીને સરળ બનાવી રહ્યું છે. તે જ સમયે, કેટલાક અસામાજિક તત્વો વંદે ભારત ટ્રેનને નિશાનો બનાવી રહ્યા છે. આવી જ ઘટના ચેન્નાઈ-તિરુનેલવેલી વંદે ભારત એક્સપ્રેસમાં ( Chennai-Tirunelveli Vande Bharat Express ) બની હતી. અહીં રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ સ્પીડમાં આવતી ટ્રેન પર પથ્થરમારો ( stone pelting ) કર્યો હતો.

Join Our WhatsApp Channel

તિરુનેલવેલી રેલવે જંક્શનના ( Tirunelveli Railway Junction ) અધિકારીઓના જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો ત્યારે થયો જ્યારે ટ્રેન વનજી મણિયાચી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી. પથ્થરમારામાં 9 કોચની બારીની પેનલ તૂટી ગઈ હતી. જોકે, પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી.

 ટ્રેન રાત્રે 10.40 વાગ્યે તિરુનેલવેલી રેલવે જંકશન પર પહોંચી હતી…

ટ્રેન રાત્રે 10.40 વાગ્યે તિરુનેલવેલી રેલવે જંકશન પર પહોંચી હતી. આ પછી ટેકનિશિયનોએ તેનું નિરીક્ષણ કર્યું અને નુકસાનનો અંદાજ કાઢ્યો હતો. મજબુત કાચની બનેલી બારીઓનું થોડુ ઓછુ નુકસાન થયુ હતું પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે સવારે 6 વાગ્યે ટ્રેનને કામચલાઉ સમારકામ માટે રવાના કરવામાં આવી હતી. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેએ ફરી શિંદે સરકારને આપી ધમકી.. હવે આ તારીખથી ચાલુ કરશે ભૂખ હડતાળ.. જાણો વિગતે

દરમિયાન તિરુનેલવેલી રેલ્વે જંકશન પર નોંધાયેલી ફરિયાદના આધારે, રેલ્વે પોલીસ ( Railway Police ) (જીઆરપી) એ વંચીમનિયાચી અને ગંગાઈકોંડા સ્ટેશનો અને થૂથુકુડી ખાતે કાર્યવાહી શરુ કરી દીધી છે. તેમ જ જ્યાં હુમલો થયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 24મી સપ્ટેમ્બરે ચેન્નાઈથી તિરુનેલવેલી થઈને તાંબરમ, વિલ્લુપુરમ, ત્રિચી, ડિંડીગુલ અને મદુરાઈ સુધી વંદે ભારત રેલ સેવા શરૂ કરવામાં આવી હતી.

Shiv Sena Symbol Dispute પક્ષ સંગઠન મોટું કે ધારાસભ્યોની બહુમતી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથે ઉઠાવ્યા ગંભીર સવાલ, રજૂ કરી ત્રણ મુખ્ય દલીલો
Shiv Sena Symbol Legal Dispute Supreme Court અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક નિર્ણય આપવાની તૈયારીમાં! જાણો કોર્ટમાં શું થયું
JPSC JSSC Exam Row Jharkhand Bandh પેપર લીક અને પોલીસ દમન સામે મહાસંગ્રામ ઝારખંડ બંધના એલાનથી રાજકારણ ગરમાયું, વિદ્યાર્થીઓને ભાજપનું સમર્થન
Rahul Gandhi JMM Government ઈન્ડિયા ગઠબંધનમાં જ ખટરાગ? ઝારખંડ સરકાર સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ..
Exit mobile version