News Continuous Bureau | Mumbai
UBT : રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની ( Lok Sabha elections ) તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય પક્ષો આ માટે વ્યૂહરચના પણ નક્કી કરી રહ્યા છે. ત્યારે શિવસેના ( UBT ) નેતા ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) પણ લોકસભાના મતવિસ્તારો માટે તેમની વ્યુરચનાની તૈયારીઓ શરુ કરી રહ્યા છે. આ મુદ્દે હવે ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે ( Rashmi Thackeray ) પણ લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા નીકળી રહ્યા છે. જેમાં શિવસેનાની મહિલા અઘાડી પણ પ્રચારમાં તેમની સાથે મેદાનમાં ઉતરશે.
આ સંદર્ભે જ રશ્મિ ઠાકરેના નેતૃત્વમાં ‘સ્ત્રી શક્તિ સંવાદ’ ( Stree Shakti Samvad Yatra ) યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મંગળવાર 16 જાન્યુઆરીએ આજથી વિદર્ભથી ( Vidarbha ) આ યાત્રા શરૂ થઈ રહી છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત વિદર્ભની મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવશે. જેમાં શિવસેનાના ઉપનેતા વિશાખા રાઉત, કિશોરી પેડનેકર, જ્યોતિ ઠાકરે, સંજના ઘડી, રાજુલ પટેલ, શીતલ દેવરુખકર અને રંજના નેવાલકર વિદર્ભ વિધાનસભાની સંપૂર્ણ સમીક્ષા કરશે. તેમજ ઉદ્ધવ ઠાકરેની સૂચના અને રશ્મિ ઠાકરેના માર્ગદર્શન હેઠળ ઠાકરે ગ્રુપ (UBT) ની સ્ત્રીશક્તિ સંવાદ યાત્રા આજથી વિદર્ભથી શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir: 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસને મહારાષ્ટ્રમાં પણ જાહેર રજા તરીકે જાહેર કરો.. હવે ભાજપના આ ધારાસભ્યે કરી માંગ…
મહિલા આઘાડી દ્વારા સ્થાનિક મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવશે….
એક અહેવાલ મુજબ, તાજેતરમાં મહિલાઓ સામેના ગુનાઓ વધી રહ્યા છે. આ સાથે મહિલાઓને લગતા અનેક મુદ્દાઓ અને સમસ્યાઓ અંગે પણ, આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. મહિલા આઘાડી વતી, તે મુખ્યત્વે મહિલા બચત જૂથો, આંગણવાડી કાર્યકરો અને મહિલાઓના વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. યાત્રા દરમિયાન વિદર્ભના અમરાવતી, યવતમાલ, વાશિમ, રામટેક લોકસભા ક્ષેત્રની મહિલાઓ સાથે પણ વાતચીત કરવામાં આવશે.