Sukhbir Singh Badal:અકાલ તખ્તે સુખબીર સિંહ બાદલને સંભળાવી સજા…. શિરોમણી અકાલી દળના પ્રમુખ ધોવા પડશે વાસણ, સાફ કરવા પડશે શૌચાલય; જાણો શું છે સમગ્ર મામલો..

Sukhbir Singh Badal:અકાલ તખ્ત સાહેબે સોમવારે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલને નવ વર્ષ પહેલા ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને માફી આપવા અને કેસ પાછો ખેંચવા બદલ સજા ફટકારી છે. તેણે 2 દિવસમાં સુવર્ણ મંદિરમાં સેવા કરવાની રહેશે.

by kalpana Verat
Sukhbir Singh Badal Sukhbir Badal Directed To Perform Guard Duty, Clean Shoes At Golden Temple As Akal Takht Pronounces 'Tankhah'

  News Continuous Bureau | Mumbai 

Sukhbir Singh Badal: શ્રી અકાલ તખ્ત સાહેબે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. બે મહિના પહેલા અકાલ તખ્તે તેમને તંખૈયા (ધાર્મિક બાબતોમાં અપરાધી) જાહેર કર્યા હતા. સજા સંભળાવતી વખતે અકાલ તખ્તના જથેદાર જ્ઞાની રઘબીર સિંહે બાદલને સુવર્ણ મંદિરમાં એઠાં વાસણો અને  શૌચાલય ધોવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, તેમને પંચસિંહ સાહેબોના ઘરની બહાર સવારે એક કલાક સેવા આપવાનું કાર્ય પણ સોંપવામાં આવ્યું છે. સુખબીર બાદલને સજા સંભળાવતી વખતે, અકાલ તખ્તે તેને સજા દરમિયાન દરરોજ ગુરુદ્વારામાં કીર્તન સાંભળવાનો પણ આદેશ આપ્યો છે.

Sukhbir Singh Badal: ત્રણ દિવસમાં તેમનું રાજીનામું સ્વીકારવાનો આદેશ 

મીડિયા રિપોર્ટ મુજબ સુખબીર બાદલએ  અને તેમના કેબિનેટ મંત્રીઓ તેમના કાર્યકાળ દરમિયાન ખોટા રાજકીય નિર્ણયો લેવા માટે દોષી સાબિત થયા છે. ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને માફી આપવાનો પણ આરોપ છે. તેમણે સુવર્ણ મંદિરમાં પંચ સિંહ સાહેબોની સામે પોતાની ભૂલ કબૂલ કરી. સુખબીર સિંહ બાદલે થોડા દિવસો પહેલા અકાલી દળના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સજાની ઘોષણા કરતાં, જથેદાર ગિયાની રઘબીર સિંહે શિરોમણી અકાલી દળને ત્રણ દિવસમાં તેમનું રાજીનામું સ્વીકારવા અને આગામી છ મહિનામાં પાર્ટીના નવા પ્રમુખ માટે ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો.

Sukhbir Singh Badal: રામ રહીમે ગુરુ ગોવિંદ સિંહ જેવો પોશાક પહેર્યો હતો

જણાવી દઈએ કે આ સમગ્ર મામલો વર્ષ 2007નો છે જ્યારે ગુરમીત રામ રહીમે શીખ ગુરુ ગુરુ ગોવિંદ સિંહ જીની જેમ પોશાક પહેરીને લોકોને અમૃતનો સ્વાદ ચખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રામ રહીમ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો, પરંતુ અકાલી સરકારે રામ રહીમ સામેનો કેસ પાછો ખેંચી લીધો હતો. અકાલ તખ્તે રામ રહીમને માફ કરવા બદલ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને આપવામાં આવેલ ફકર-એ-કૌમનું બિરુદ પણ પાછું ખેંચી લીધું છે.

આ સમાચાર પણ વાંચો :  Indigo flight cyclone : લેન્ડિંગ કરતાં લથડિયાં ખાઈ ગયું વિમાન, પાઇલટે આ રીતે પ્લેન ક્રેશ થતાં બચાવ્યું; જુઓ વીડિયો..

Sukhbir Singh Badal: અકાલી દળે 2007 અને 2017 વચ્ચે ‘ખોટા’ રાજકીય નિર્ણયો લીધા

અગાઉ 30 ઓગસ્ટે સુખબીરને અકાલ તખ્તે ‘તંખૈયા’ જાહેર કર્યા હતા. અકાલ તખ્તે સ્વીકાર્યું કે અકાલી દળે 2007 અને 2017 વચ્ચે જ્યારે તે પંજાબ સરકારમાં હતા ત્યારે ‘ખોટા’ રાજકીય નિર્ણયો લીધા હતા. શિરોમણી અકાલી દળ સાથે સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે અકાલ તખ્તના જથેદારે સુવર્ણ મંદિરમાં પાંચ ‘સિંહ સાહેબો’ની બેઠક બોલાવી હતી અને સુનાવણી દરમિયાન સુખબીર સિંહ બાદલને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More