Site icon

Special Train: અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

Special Train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

Summer special train will run between Ahmedabad and Agra Cantt

Summer special train will run between Ahmedabad and Agra Cantt

News Continuous Bureau | Mumbai

Special Train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ( summer special train ) ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

Special Train: ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (20 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ( Ahmedabad-Agra Cantt Special Train ) 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી ( Ahmedabad ) 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.50 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ 16 મે 2024 થી 29 જૂન 2024 સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે આગ્રા કેન્ટથી ( Agra Cantt ) 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: ચૂંટણીના પર્વને કારણે હાલ બજારમાં ફૂલોના ભાવમાં આવ્યો ઉછાળો.. જાણો શું છે નવા ભાવો..

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીનો એક કોચ, થર્ડ એસીના 5 કોચ અને જનરલ ક્લાસના 14 કોચ હશે.

ટ્રેન નંબર 01920 નું બુકિંગ 15 મે, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version