કોરોના ડેથ વળતર માટે ખોટા દાવા મામલે ગુજરાત સહિત આ રાજ્યોમાં એક્શન લેશે મોદી સરકાર, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે કરવામાં આવેલા ખોટા દાવાઓ અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવાં ખોટાં દાવાઓની તપાસ કરવાની મંજૂરી આપી છે. 

આ અંતર્ગત આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના 5 ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે. 

આ ઉપરાંત કોર્ટે 28 માર્ચ સુધીમાં કોરોનાનાં કારણે થનારા મૃત્યુ માટે વળતરનો દાવો કરવાની સમયમર્યાદા 60 દિવસની કરી દીધી છે. 

ભવિષ્યમાં થનારા મોતનું વળતર મેળવવા માટે દાવો પણ 90 દિવસની અંદર જ કરવાનો રહેશે.

 આ સમાચાર પણ વાંચો :  હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More