સુપ્રીમ કોર્ટના એવા બે સવાલ જેણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેની ઊંઘ ઉડાડી દીધી.હવે બધાની નજર ચુકાદા પર.

સુપ્રીમ કોર્ટમાં 9 મહિના લાંબી ચાલેલી સુનાવણી બાદ હવે તમામ લોકોની નજર ચુકાદા પર છે. પરંતુ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવા બે પ્રશ્ન રજૂ કર્યા છે જેનો જવાબ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને પક્ષ આપી શક્યા નથી.

by Dr. Mayur Parikh
Maharashtra Politics: Sena vs Sena: SC refuses urgent hearing on Uddhav Thackeray faction’s plea against EC decision

સુપ્રીમ કોર્ટમાં આશરે નવ મહિના સુધી દલીલો ચાલ્યા પછી હવે મહારાષ્ટ્ર સરકાર સંદર્ભે નો નિર્ણય ગમે ત્યારે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો છે. આ સુનવણી દરમિયાન બંને પક્ષો તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી.. બંને પક્ષોએ પોતાનો તર્ક સુપ્રીમ કોર્ટ સામે રાખ્યો જોકે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવા પ્રશ્નો પૂછ્યા છે જેનો જવાબ કોઈની પાસે નથી.

સુપ્રીમ કોર્ટના બે પ્રશ્નો.

પહેલો સણસણતો સવાલ

સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને પ્રશ્ન પૂછ્યો હતો કે તેમને ઉદ્ધવ ઠાકરે સાથે ફાવતું ન હતું તો પછી તેમણે આટલા લાંબા સમય સુધી સરકારમાં ભાગ કેમ લીધો?

આ સમાચાર પણ વાંચો :  સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..

બીજો સણસણતો સવાલ

સુપ્રીમ કોર્ટે સોનાવણીના છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરે ને સવાલ પૂછ્યો હતો કે તેમને પોતાની સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો હતો તો તેમણે વિશ્વાસ મત નો સામનો શા માટે ન કર્યો.

આમ સુપ્રીમ કોર્ટે બંને પક્ષને જે પ્રશ્નો પૂછ્યા છે તેને કારણે બંને પક્ષ અત્યારે મૂંઝવણમાં છે કે ચુકાદો કઈ તરફ આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More