News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shivsena) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ગ્રુપને સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે ફરી એક ઝટકો લાગ્યો છે.
કોર્ટે એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 16 ધારાસભ્યોને(MLA) ગેરલાયક ઠેરવવા પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.
કોર્ટનું કહેવું છે કે 11 જુલાઈના રોજ અન્ય કેસની સાથે આ મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે.
આ મામલાની તાત્કાલિક સુનાવણી(Immediate hearing) થઈ શકે નહીં. 11મી જુલાઈએ બહુમત પરીક્ષણને(majority test) પડકારતી અરજી સહિતની તમામ બાબતોની એકસાથે સુનાવણી થશે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ અરજી શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ(Chief Whip Sunil Prabhu) કરી છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત બાદ હવે શરદ પવારનો નંબર- ઇન્કમટેક્સ વિભાગે આ મામલે મોકલી નોટિસ- જાણો વિગત
