Site icon

ધનબાદ ન્યાયાધીશના હત્યા મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, રાજ્ય સરકારને આપ્યો આ મોટો આદેશ ; જાણો વિગતે 

ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજની હત્યા મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોટિસ લીધી છે. 

ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ઝારખંડના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નિર્દેશ કર્યો છે કે તેઓ એક અઠવાડિયાની અંદર તપાસનો રિપોર્ટ સોંપે. 

Join Our WhatsApp Community

કોર્ટના આદેશ મુજબ ડીજીપી તથા રાજ્યના ચિફ સેક્રેટરીએ એક સપ્તાહમાં રિપોર્ટ આપવાનો રહેશે તથા આવતા સપ્તાહમાં સોલિસિટર જનરલને હાજર થવા કહ્યું છે.

જોકે, કોર્ટે કહ્યું છે કે તેઓ ઝારખંડ હાઈકોર્ટની કાર્યવાહીમાં કોઈ હસ્તક્ષેપ કરી રહ્યા નથી.

ઉલ્લેખનીય છે કે ઝારખંડના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઉત્તમ આનંદ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે એક વાહને તેમને ટક્કર મારી હતી. આથી ઈજાગ્રસ્ત ન્યાયાધીશને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. 

 

Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Exit mobile version