PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ મેટ્રો પ્રોજેક્ટના નિર્માણમાં ટેકનિકલ ખામીઓ, NCP સાંસદ સુપ્રિયા સુલે કરી બાંધકામોના ઓડિટની કરી માંગ..

NCP સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પુણે મેટ્રોના કામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ છે. આ દાવો કરતી વખતે તેમણે એન્જિનિયરો દ્વારા લખેલા પત્રો પર આધાર રાખ્યો છે. સુપ્રિયા સુલેએ માંગણી કરી છે કે આ તમામ બાંધકામોનું ઓડિટ થવું જોઈએ અને ટેકનિકલ ખામીઓ દૂર કરવી જોઈએ.

by Dr. Mayur Parikh
Supriya Sule Alleges Mistakes In Pune Metro Construction Work Which Is Inaugurated By Narendra Modi

News Continuous Bureau | Mumbai

NCP સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પુણે મેટ્રોના કામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ છે. આ દાવો કરતી વખતે તેમણે એન્જિનિયરો દ્વારા લખેલા પત્રો પર આધાર રાખ્યો છે. સુપ્રિયા સુલેએ માંગણી કરી છે કે આ તમામ બાંધકામોનું ઓડિટ થવું જોઈએ અને ટેકનિકલ ખામીઓ દૂર કરવી જોઈએ.

સુપ્રિયા સુલેએ શું કર્યો દાવો?

સુપ્રિયા સુલેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં તેમણે કહ્યું છે કે વનાજથી ગરવારે કોલેજ સુધી મેટ્રો લાઇનના નિર્માણમાં ટેકનિકલ ખામીઓ છે. સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના નિષ્ણાત ઇજનેરોનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પુણે મેટ્રોના વનાજથી ગરવારે કોલેજ રૂટના નિર્માણમાં કેટલીક ગંભીર ટેકનિકલ ખામીઓ છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ માટે સારા સમાચાર.. આ તારીખથી કોસ્ટલ રોડ જનતા માટે ખુલ્લો મુકાશે! જાણો કેટલું કામ થયું પૂર્ણ… 

ભવિષ્યમાં આ રૂટ પર લાખો મુસાફરો દરરોજ મુસાફરી કરવાના છે. તેમની સલામતીને ધ્યાનમાં લઈને સમગ્ર બાંધકામનું તાત્કાલિક ‘સ્ટ્રક્ચરલ ઓડિટ’ કરાવી આ ખામીઓ દૂર કરવી જરૂરી છે. માઝી મહામેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. બ્રજેશ દીક્ષિતને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લો. એવી સુપ્રિયા સુલેએ માંગ કરી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More