News Continuous Bureau | Mumbai
આખરે લાંબી પ્રતિક્ષા બાદ સુરત ડાયમંડ બુર્સના(Surat Diamond Bourse) નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વહેલી તકે થાય તેની રાહ શહેરના હીરા ઉદ્યોગપતિઓ(Diamond businessmen) દ્વારા જોવાઈ રહી છે. છેવટે 5મી જૂને ગણેશ સ્થાપના કરીને 4200 ઓફિસોના માલિક 4200 દીવડા પ્રગટાવી મહાઆરતી કરશે.
ખજોદમાં બની રહેલા ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. ખાસ્સા સમયથી હીરાના વેપારીઓ(Diamond trader) સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થાય અને તેઓ ઓફિસે શિફ્ટ થાય તેની પ્રતીક્ષામાં હતા. છેવટે તેમનું સપનું પૂરું થયું છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી પેટર્ન પુનામાં રિપીટ થઈ? આ બે મસ્જીદો પર MNS પાર્ટીએ આંગળી ચીંધી….
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટ એમ તમામ ઓફિસોમાં ફર્નિચર કરવા માટે માલિકોને પઝેશન આપી દેવાયા છે. ઈમારતનું બાંઘકામ(Building construction) 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. તેથી ગણેશ સ્થાપના, મહા આરતી(Maha Aarti) અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે ત્યારબાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે.