Site icon News Continuous Bureau | Mumbai

Surat : આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડ અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 NWનું ઈ-ઓક્શન થશે, જાણો મનપસંદ નંબર મેળવવા અંગેની તમામ વિગતો

Surat : તા.૨૬થી ૨૮ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

Surat rto to conduct e-auction of GJ-05 nv series of golden and silver numbers of m cycle

Surat rto to conduct e-auction of GJ-05 nv series of golden and silver numbers of m cycle

News Continuous Bureau | Mumbai  
સુરત(Surat)ના પાલ સ્થિત આરટીઓ (RTO) દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ 05 NWનું ઈ-ઓક્શન(E-auction) થશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૨૬થી ૨૮ જુલાઈ સુધી અને હરાજી તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો : Skin Care : ક્લીન અને ચમકદાર સ્કિન મેળવવા માંગો છો? તો દરરોજ સવારે પીવો આ હેલ્ધી ડ્રિંક્સ..

Join Our WhatsApp Channel

આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ
નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી(Authotity) દ્વારા રેન્ડમ પદ્ધતિ થી નંબર ફાળવી દેવાશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.
અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટ(Bid Amount)ના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ (Refund) માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E- PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Water Crisis in Maharashtra કલ્યાણડોંબિવલી અને નાગપુરમાં ‘પાણી કાપ’ વહીવટીતંત્ર દ્વારા જળપુરવઠામાં મોટો કાપ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ
Bharat Taxi Launch ઓલાઉબેરને મળશે ટક્કર? ગુજરાતના ૧૪ શહેરોમાં ‘ભારત ટેક્સી’ સેવાનો પ્રારંભ કરશે અમિત શાહ
Exit mobile version