Site icon

સુશાંત સિંહ રાજપૂત કેસ: એનસીપી પ્રમુખ શરદ પવારે તોડી ચુપ્પી, કહ્યું મુંબઇ પોલીસ સક્ષમ છે, પરંતુ CBI તપાસ સામે કોઇ વાંધો નથી

Sharad Pawar to stay as NCP chief for now as Core Committee refuses to accept his resignation

મોટા સમાચાર : NCPની 'કમાન' શરદ પવારના જ હાથમાં! સમિતિએ રાજીનામું કર્યું નામંજૂર, કહ્યું - કાર્યકાળ પૂરો કરો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓગસ્ટ 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનો મામલો ધીરે ધીરે હવે રાજકીય રૂપ લઈ રહ્યો છે. સતત ચાલી રહેલી નિવેદનબાજી વચ્ચે ભાજપ પણ મહારાષ્ટ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ તમામ વચ્ચે હવે એનસીપી પ્રમુખ નેતા શરદ પવારે એન્ટ્રી લેતા મુંબઇ પોલીસનું સમર્થન કર્યુ છે. સુશાંત સિંહના કેસને લઇને તેમણે સ્પષ્ટ નિવેદન આપ્યુ હતું કે જે રીતે આ ઘટનાને મીડિયામાં મહત્વ આપવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. આ ઘટનાની તપાસ સીબીઆઇ અથવા તો કોઇની પાસે પણ કરાવો તેનો વિરોધ નથી, પરંતુ હું મુંબઇ પોલીસને છેલ્લા 50 વર્ષથી ઓળખુ છુ. મને મુંબઇ પોલીસ પર પુરો વિશ્વાસ છે.

આગળ તેમણે કહ્યું કે જે કંઇ પણ થઇ રહ્યું છે અને જે ચર્ચાઓ થાય છે તે બરાબર નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે કોઇ વ્યક્તિએ આત્મહત્યા કરી, પરંતુ કોઇ ખેડૂતોની આત્મહત્યા અંગે કોઇ વાત નથી કરતું. અમે સીબીઆઈની તપાસનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ આવી માંગ ન હોવી જોઈએ. આ સિવાય તેમણે અજિત પવારના પુત્ર પાર્થ પવારની સીબીઆઈ તપાસની માંગને પણ નકારી દીધી હતી. પાર્થ એક બિનઅનુભવી બાળક છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

નોંધપાત્ર વાત છે કે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યા હતા અને આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પાર્થ પવારે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતની યોગ્ય તપાસ થવી જોઈએ, આ સમગ્ર દેશ, ખાસ કરીને યુવાનોની ભાવના છે…  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version