Site icon

સીબીઆઈ, સુશાંત કેસની હાલત દાભોલકર હત્યા કેસ જેવી ન કરે તો સારું — એનસીપી નેતા શરદ પવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓગસ્ટ 2020 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ સીબીઆઈને સોંપવાનો હુકમ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ નિર્ણય અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી હતી કે નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસ જે રીતે સીબીઆઈ કરી રહી હતી તેવું સુશાંત સિંહ રાજપુતના કેસમાં ન થાય તો સારું. નરેન્દ્ર દાભોલકરના કેસમાં સીબીઆઈ આજ સુધી કોઈ જ પરિણામ પર આવી શકી નથી. દાભોલકરના હત્યારાઓ હજુ પણ છુટ્ટા ફરી રહયાં છે.'

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મુંબઈ પોલીસને આદેશ આપ્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. તેમજ મુંબઇ પોલીસે અત્યાર સુધી એકત્રિત કરેલા તમામ પુરાવા પણ સીબીઆઈને સોંપવામાં આવે.. આના સંદર્ભમાં શરદ પવારે ટ્વિટર પર કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનો આદર કરશે અને તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે."  સાથે જ લખ્યું હતું કે, આશા રાખું છું કે 2014 થી નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસમાં સીબીઆઈ  કરી રહી છે પરંતુ એનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી…. નોંધનીય છે કે હાલ મહારાષ્ટ્ર માં શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી મળીને સત્તા ચલાવી રહી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version