Site icon News Continuous Bureau | Mumbai

સીબીઆઈ, સુશાંત કેસની હાલત દાભોલકર હત્યા કેસ જેવી ન કરે તો સારું — એનસીપી નેતા શરદ પવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ઓગસ્ટ 2020 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ સીબીઆઈને સોંપવાનો હુકમ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ નિર્ણય અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી હતી કે નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસ જે રીતે સીબીઆઈ કરી રહી હતી તેવું સુશાંત સિંહ રાજપુતના કેસમાં ન થાય તો સારું. નરેન્દ્ર દાભોલકરના કેસમાં સીબીઆઈ આજ સુધી કોઈ જ પરિણામ પર આવી શકી નથી. દાભોલકરના હત્યારાઓ હજુ પણ છુટ્ટા ફરી રહયાં છે.'

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મુંબઈ પોલીસને આદેશ આપ્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. તેમજ મુંબઇ પોલીસે અત્યાર સુધી એકત્રિત કરેલા તમામ પુરાવા પણ સીબીઆઈને સોંપવામાં આવે.. આના સંદર્ભમાં શરદ પવારે ટ્વિટર પર કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનો આદર કરશે અને તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે."  સાથે જ લખ્યું હતું કે, આશા રાખું છું કે 2014 થી નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસમાં સીબીઆઈ  કરી રહી છે પરંતુ એનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી…. નોંધનીય છે કે હાલ મહારાષ્ટ્ર માં શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી મળીને સત્તા ચલાવી રહી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version