Site icon

મુંબઈની તાજ હોટેલોને ‘પાકિસ્તાન’થી મળી ધમકી, આખા વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 જુન 2020

મુંબઈની તાજ કોલાબા અને બાંદ્રાની તાજ લેન્ડ્સ એન્ડને મંગળવારે ધમકીનો કોલ મળ્યો હતો, જેના પગલે આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફોન સવારે 12.30 વાગ્યે પાકિસ્તાનથી કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. કોલરે બંને હોટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. કોલ ઉઠાવનાર કર્મચારીનું નિવેદન પણ પોલીસે રેકોર્ડ કર્યું છે.

2008 માં, મુંબઈની ગેટવે ઓફ ઈન્ડિયા વાળી તાજ હોટલ, 26/11 ના આતંકી હુમલાનો શિકાર બની હતી. ભારતના ઇતિહાસમાં સૌથી ભયંકર આતંકવાદી હુમલામાં, 26 નવેમ્બર, 2008 ના રોજ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં તબાહી મચાવી હતી ત્યારે 166 લોકો માર્યા ગયા હતાં અને 300 થી વધુ ઘાયલ થયા હતાં….

આ ઉપરાંત આતંકવાદીઓએ નરીમાન હાઉસને પણ નિશાન બનાવ્યું હતું જેમાં છ યહૂદીઓ માર્યા ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે હુમલો થયો તે સમયે ઇઝરાયેલના દૂત પણ મુંબઈના આ નરીમાન હાઉસમાં જ હતા.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com      

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version