મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

બુધવાર

ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશંસકોએ એક વિચિત્ર આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અનુસાર ૪૫ વર્ષથી ઉપરના લોકોએ 30 એપ્રિલ સુધીમાં ફરજિયાત પણે રસી લેવાની રહેશે. આવું ન કરનાર વ્યક્તિ ની વિરુદ્ધમાં પગલાં લેવાની મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી દર્શાવી છે. આ સંદર્ભે હો એક મેસેજ પાલિકાના પ્રશાસન દ્વારા ફેસબુક ઉપર જાહેર કરવામાં આવ્યો હતો. વેક્સીન ન લેનાર ની વિરુદ્ધમાં પગલા રૂપે તેમણે કહ્યું હતું કે જે લોકો વેક્સિન નહીં અને તેમની દુકાન નહીં ખોલવા દેવામાં આવે. આ ઉપરાંત પ્રતિબંધાત્મક પહેલા પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલાં સ્પષ્ટ કર્યું છે કે રસી લેવી ફરજિયાત નથી. પરંતુ હવે સ્થાનિક પ્રશાસન આ સંદર્ભે કડક વલણ અખત્યાર કરી રહ્યું છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More