તમિલનાડુ સ્થિત નેવેલી લિગ્નાઈટ કૉર્પોરેશનમાં બૉયલર બ્લાસ્ટ, 6 ના મોત, 17 ઈજાગ્રસ્ત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

1 જુલાઈ 2020

તમિલનાડુ સ્થિતિ નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (એનએલસી) માં બુધવારે બોઈલર ધડાકાભેર ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે. એનએલસીના થર્મલ પ્લાન્ટમાં રહેલું બોઈલર બ્લાસ્ટ થતા છ લોકોના મોત તેમજ 17 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કંપની પાસે પોતાની ફાયર ટીમ હોવાથી તે બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને મૃતકો તેમજ ઘાયલોનો આંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે કંપનીના થર્મલ પાવર સ્ટેશન-2ના પાંચમા યુનિટમાં બોઈલર ધડાકાભેર ફાટ્યું હતું. કર્મચારીઓ જ્યારે કામગીરી પુનઃ શરૂ કરી રહ્યા હતા ત્યારે જ બોઈલર એકાએક ફાટતા પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. 17 જેટલા લોકો ઘાયલ થયા હતા જેમને ચેન્નઈ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ કંપનીમાં 7 મેના આ જ પ્રકારનો બ્લાસ્ટ થયો હતો અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એક મહિનાના ગાળામાં જ બીજી વખત કંપનીમાં ફરી બોઈલર ફાટતાં સુરક્ષાના માપદંડો સામે સવાલો ઉભા થઈ રહ્યા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More