ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
તમિલનાડુના સાંસદોના પ્રતિનિધિમંડળે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી, જેમાં ઉત્તર ચેન્નઈના લોકસભા સભ્ય કલાનિધિ વીરસ્વામી અને રાજ્યસભાના સભ્ય ટી.કે.એસ. એલંગોવન સામેલ હતા. તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની નેશનલ એન્ટ્રન્સ-કમ-એલિજિબિલિટી ટેસ્ટ (NEET)નો વિરોધ કરતો એક પત્ર તેમને સોંપવામાં આવ્યો હતો.
પત્રમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું કે NEET પ્રવેશનીતિ સંઘીય ભાવનાની વિરુદ્ધ છે અને રાજ્યોના અધિકારોને છીનવી રહી છે.
તમિલનાડુના સાંસદોએ જણાવ્યું કે એમ.કે. સ્ટાલિનએ બિન-ભાજપ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં કેન્દ્રની દખલનો વિરોધ કર્યો છે.
તમિલનાડુમાં NEET પરીક્ષાનો વ્યાપક વિરોધ થયો છે. તમિલનાડુના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રવ્યાપી પ્રવેશ પરીક્ષામાં નાપાસ થવા બદલ આત્મહત્યા કરી હતી.