Site icon

તહેલકા મૅગેઝિનના તરુણ તેજપાલનો મહિલા સહકર્મચારી પર બળાત્કાર કરવાના કેસમાંથી છુટકરો;ગોવા ફાસ્ટ ટ્રૅક કેસનો ચુકાદો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

તહેલકા મૅગેઝિનના ભૂતપૂર્વ એડિટર ઇન ચીફ અને ફાઉન્ડર તરુણ તેજપાલને યૌનશોષણ કેસના તમામ આરોપથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ગોવાની ફાસ્ટ ટ્રૅક કોર્ટે આ ચુકાદો આપતાં તરુણ તેજપાલને રાહત થઈ છે. નવેમ્બર 2013માં મહિલા સહકર્મચારીએ તેમના પર શારીરિક શોષણનો આરોપ મૂક્યો હતો.

ઍડિશનલ સેશન્સ કોર્ટે તરુણ તેજપાલને ગોવાની એક હૉટેલમાં તેની સહકર્મચારીએ કરેલા યૌનશોષણના કથિત કેસથી મુક્ત કર્યા હતા. કોર્ટથી રાહત મળ્યા બાદ તરુણ તેજપાલે કહ્યું હતું કે 2013માં તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. ગોવામાં ઍડિશનલ સેશન જજની ટ્રાયલમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2013માં નૉર્થ ગોવાની એક ફાઇવ સ્ટાર હૉટેલમાં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન તરુણ તેજપાલ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગોવા પોલીસે તરુણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. તેની જામીનની અરજી ખારિજ થયા બાદ 30 નવેમ્બર, 2013ના ધરપકડ કરવામાં આવી હતી. મે, 2014માં તેની માતાના અંતિમસંસ્કાર માટે તે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો ત્યારથી તે બહાર જ હતો. જુલાઈ 2014માં તેને જમાનત મળી હતી.

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version