Site icon

ના હોય! RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે લગ્ન કરવા ખ્રિસ્તી રશેલે કર્યુ ધર્મપરિવર્તન, હવે આ નામેં ઓળખાશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ગઈકાલે દિલ્હીમાં અચાનક જ અને ગૂપચૂપ રીતે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે.

તેજસ્વી યાદવે એલેક્સિસ ઉર્ફે રશેલ ગોડિન્હો સાથે લગ્ન કર્યા બાદ એવી ચર્ચા શરુ થઈ છે કે, લગ્ન કરવા માટે તેને ધર્મ પરિવર્તન કરવું પડ્યું છે.

રશેલ ખ્રિસ્તી છે અને લાલુ પ્રસાદ યાદવ તેમજ રાબડી દેવી આ બાબતને લઈને તેજસ્વીના લગ્નથી ખુશ નહોતા.

કહેવામાં આવી રહ્યું છે કે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને રાજી કરવા માટે એલેક્સિસ ઉર્ફે રશેલે ધર્મ પરિવર્તન કરવાની તૈયારી બતાવી હતી. એ પછી લાલુ પ્રસાદ યાદવે લગ્ન માટે મંજૂરી આપી હતી.

સાથે ચર્ચા ચાલે છે કે, હવે રશેલનુ નામ રાજેશ્વરી યાદવ કરવામાં આવ્યુ છે. લગ્ન પહેલા હિન્દુ ધર્મ અંગિકાર કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને રશેલે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

નવો અખતરો! મુંબઈના રસ્તા પર હવે ઝેબ્રા ક્રોસિંગમાં આ કલરના પટ્ટા જોવા મળશે. જાણો વિગત
 

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version