Site icon

Temple or Mosque: ઈન્દોર હાઈકોર્ટનો મોટો નિર્ણય, 1000 વર્ષ જુના ભોજશાળાના વિવાદિત પરિસરમાં મંદિર છે કે મસ્જિદ, મળી ASI સર્વેની મંજુરી..

Temple or Mosque: હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર હાઇકોર્ટે ASIને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ આદેશ બાદ મુસ્લિમ પક્ષ આ આદેશને સ્વીકારતો નથી અને હવે તે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી રહ્યું છે.

Temple or Mosque Big decision of Indore High Court, temple or mosque in the disputed premises of 1000 years old Bhojshala, got permission for ASI survey..

Temple or Mosque Big decision of Indore High Court, temple or mosque in the disputed premises of 1000 years old Bhojshala, got permission for ASI survey..

 News Continuous Bureau | Mumbai

Temple or Mosque: મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે સોમવારે ભોજશાળા સંકુલને ( Bhojshala complex ) લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. જેના કારણે હવે ભોજશાળાનો ASI સર્વે પણ કરાશે. જેમાં 5 સભ્યોની ટીમ 6 અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરશે. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં, હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ વતી હાઇકોર્ટમાં ( Madhya Pradesh High Court ) અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર હાઇકોર્ટે ASIને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ આદેશ બાદ મુસ્લિમ પક્ષ આ આદેશને સ્વીકારતો નથી અને હવે તે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી રહ્યું છે.

 ભોજશાળા એએસઆઈ દ્વારા સુરક્ષિત સ્મારક છે…

ભોજશાળા મંદિરમાં ( Bhojshala temple ) ASI સર્વેની ( ASI Survey ) મંજૂરી આપતા હાઈકોર્ટના નિર્ણય પર એડવોકેટે નિવેદન આપતા કહ્યું કે, આજે ઈન્દોર હાઈકોર્ટે ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે ASIના ડાયરેક્ટર અથવા એડિશનલ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં ASI સભ્યોની પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવે અને છ સપ્તાહમાં કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવે. 1991નો પૂજા સ્થાનો અધિનિયમ અહીં લાગુ પડતો નથી કારણ કે તે ASI-સંરક્ષિત સ્મારક છે અને તેથી તેને 1991ના કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  : IPL Match: BCCI વર્ષમાં બે વાર IPLનું આયોજન કરશે, અરુણ ધૂમલે ઈવેન્ટને લઈને આપ્યું મોટું નિવેદન…

ઉલ્લેખનીય છે કે, ભોજશાળા એએસઆઈ દ્વારા સુરક્ષિત સ્મારક છે, જેને હિંદુઓ દેવી વાગદેવી (સરસ્વતી)નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ માને છે. 7 એપ્રિલ 2003ના રોજ જારી કરાયેલા ASI આદેશ મુજબ, હિંદુઓને દર મંગળવારે ભોજશાળા સંકુલની અંદર ભગવાની પુજા કરવાની છૂટ છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે સ્થળ પર નમાઝ અદા કરવાની છૂટ છે.

નોંધનીય છે કે, ‘હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ નામના સંગઠનની અરજી સ્વીકારતી વખતે બેંચે આ નિર્દેશ આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એએસઆઈ દ્વારા સર્વેક્ષણ કરાવવું એ એક વૈધાનિક ફરજ છે, જે રહસ્ય હતું અને આ ગૂંચવણ છે, તેના વાસ્તવિક સ્થાન વિશે વિવાદ તરફ દોરી જાય. ત્યારે આમાં જલ્દીથી જલ્દી પરીક્ષણ થવુ જોઈએ અને વાસ્તવિકતા ઉજાગર કરવી જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version