Site icon News Continuous Bureau | Mumbai

Thackerays Reunite: શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે?; સંજય રાઉતે આપ્યા સંકેત.. રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

Thackerays Reunite: મહારાષ્ટ્રમાં રાજકારણમાં હંમેશા કંઇક ને કંઇક બનતું રહે છે. તેમાં રાજ્યના રાજકારણમાં ઠાકરે પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના મરાઠી લોકો વિચારી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે આવવું જોઈએ. ગઈ કાલે એક મોટી ઘટના બની. રાજ ઠાકરેની બહેનના પુત્રના લગ્ન સમારોહમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે જોવા મળ્યા હતા.

Thackerays Reunite Shivsena thackeray group MP Sanjay raut talk about Raj Thackeray and Uddhav Thackeray meet in mumbai

Thackerays Reunite Shivsena thackeray group MP Sanjay raut talk about Raj Thackeray and Uddhav Thackeray meet in mumbai

  News Continuous Bureau | Mumbai

Thackerays Reunite: મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના મરાઠી લોકો વિચારી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે આવવું જોઈએ. ગઈ કાલે એક મોટી ઘટના બની. રાજ ઠાકરેની બહેનના પુત્રના લગ્ન સમારોહમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે જોવા મળ્યા હતા. બંને ભાઈઓએ એકબીજા સાથે વાતચીત પણ કરી હતી. આ પછી રાજકીય વર્તુળોમાં શું બંને ભાઈઓ ફરી સાથે આવશે? એવી ચર્ચા શરૂ થઈ.દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

Thackerays Reunite: મહારાષ્ટ્ર ઠાકરે પરિવારને ખૂબ પ્રેમ કરે છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે તે ચોક્કસપણે આનંદની વાત છે કે તેઓ ગઈકાલે સાથે આવ્યા હતા, મહારાષ્ટ્ર ઠાકરે પરિવારને ખૂબ પ્રેમ કરે છે. આગળ તેમણે કહ્યું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ સાથે આવવું જોઈએ તેવી ચર્ચા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને મારા જેવા વ્યક્તિ પણ તે ચર્ચામાં સામેલ છે. મેં રાજ ઠાકરે સાથે પણ કામ કર્યું છે અને તેમના પરિવાર સાથે મૈત્રીપૂર્ણ સબંધ છે. ઉદ્ધવ ઠાકરે પણ મારા ભાઈ અને મિત્ર જેવા છે. તે ચોક્કસપણે આનંદની વાત છે કે તેઓ ગઈકાલે એકસાથે આવ્યા. રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રને ઠાકરે પરિવાર માટે ઘણો પ્રેમ છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરી એકવાર તેમના પૈતૃક ગામની મુલાકાતે! વિભાગોના વિતરણ બાદ શું નારાજ છે શિંદે ? અટકળો તેજ

તેમણે વધુમાં કહ્યું કે  બંને પાર્ટીઓ અલગ છે, રાજ ઠાકરે બીજેપી સાથે કામ કરે છે, દેવેન્દ્ર ફડણવીસ, નરેન્દ્ર મોદી, અમિત શાહ તેમના આઇડલ છે. દેવેન્દ્ર ફડણવીસ, નરેન્દ્ર મોદી, અમિત શાહ મહારાષ્ટ્રના દુશ્મન છે. અમે તેમની સાથે કામ કરી શકતા નથી. આ ત્રણેય મહારાષ્ટ્રને લૂંટવામાં, મરાઠી લોકોને અન્યાય કરવામાં, શિવસેનાને તોડવામાં, આવા વ્યક્તિ સાથે જવું એ મહારાષ્ટ્ર સાથે અન્યાય થશે.

Thackerays Reunite:  વૈચારિક મતભેદના બે અલગ પ્રવાહ

‘એક વખત અમે ભાજપ સાથે પણ રહી ચૂક્યા છીએ. તે વૈચારિક મતભેદના બે અલગ પ્રવાહ છે પરંતુ કુટુંબ એક છે. અજિત પવાર, શરદ પવાર, રોહિત પવાર એકસાથે મળે છે, પંકજા મુંડે અને ધનંજય મુંડે અલગ-અલગ પક્ષોના હોવા છતાં ભાઈઓ તરીકે સાથે આવે છે. ‘મહારાષ્ટ્રે એ પણ વિચારવું જોઈએ કે જ્યારે પરિવાર એક સાથે આવે છે, ત્યારે મહારાષ્ટ્રની નજરમાં જે પ્રવાહ છે તેમાં આપણે વહી ન શકીએ. રાઉતે કહ્યું છે કે ઉદ્ધવ અને રાજ ઠાકરે ભાઈઓ છે અને ઉદ્ધવ અને રાજ ઠાકરે જે નિર્ણય લેશે તે સ્વીકારશે.

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version