Site icon News Continuous Bureau | Mumbai

કેટલાક સમયથી મંદ પડેલી થાણે ટ્રાફિક પોલીસની કાર્યવાહી થઈ સક્રિય; એક દિવસમાં આટલા હજાર ડ્રાઇવરોને પકડ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ટ્રાફિક જામ અને કોરોનાને લીધે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસની વાહનચાલકો પરની કાર્યવાહી બંધ હતી. ગુરુવારે ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં ગતિ આવી હતી. ટ્રાફિક પોલીસે પ્રતિ કલાક 212 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. એક જ દિવસમાં 5,111 ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહનચાલકો સામે મહત્તમ કાર્યવાહી કરવામાં આવી છે.

ટ્રાફિક જામને રોકવા માટે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કાર્યવાહીના અભાવે શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર વાહનચાલકો નિયમો ભંગ કરી રહ્યા હતા. થાણે ટ્રાફિક પોલીસે આવા વાહનચાલકો પર લગામ લગાવવા માટે ફરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હેલ્મેટ ન પહેરનારા, રિક્ષામાં ત્રણથી વધુ પ્રવાસી, દારૂ પીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી કરી હતી. ગુરુવારે પોલીસે એક જ દિવસમાં 5,111 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. થાણે ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર બાલાસાહેબ પાટીલે મીડિયાને કહ્યું હતું કે વરસાદ અને કોરોનાને કારણે ડ્રાઈવરો સામે કાર્યવાહી ધીમી પડી ગઇ હતી. અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોને શિસ્ત સમજાવવા માટે ફરી એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે 5 હજારથી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આગળ કાર્યવાહી ચાલુ રહેશે.

ત્રિપુરાની ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્ર ભડકે બળ્યુઃ અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ. જાણો વિગત.

નવી મુંબઈ ટ્રાફિક પોલીસે બાઇક સવારો પર કાનૂની પકડ વધુ કડક કરી છે. નવી મુંબઈમાં પનવેલ, ઉરણ, સીબીડી, વાશી, કોપરખૈરાણે, એપીએમસી, તુર્ભે, કલંબોલી, મહાપે વગેરે સ્થળોએ ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિનાના 815 બાઇક સવારો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version