Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે નું નાક કપાયું કોર્ટે બાળાસાહેબ ઠાકરે સ્મારકનું કામ અટકાવ્યું. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 ફેબ્રુઆરી 2021

ઔરંગાબાદમાં ઠાકરે સરકાર દ્વારા બાળાસાહેબ ઠાકરે સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. આ સ્મારક બનાવતી વેળા મોટી સંખ્યામાં વૃક્ષોની કતલ કરવામાં આવી રહી છે તેવી ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં ઔરંગાબાદ બેંચ દ્વારા ઘટના સ્થળની સમીક્ષા કરવામાં આવી હતી.

સમીક્ષા બાદ કોર્ટે નોંધ્યું કે આ પાર્કમાં થી ૧૨૨૫ વૃક્ષો ગાયબ છે. 

કામ શરૂ થયા અગાઉ અહીં પાર્કમાં ૯૮૮૫ વૃક્ષો હતા જ્યારે કે આજની તારીખમાં અહીં ૮૯૭૦ વૃક્ષો ઉભા છે.

એટલે કે જેટલા વૃક્ષો ગાયબ થયા છે તેનો કોઈ હિસાબ મળતો નથી. 

આ અનુસંધાન થી કોર્ટે નિર્ણય આપ્યો છે કે જ્યાં સુધી સમગ્ર મામલે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી બાળાસાહેબ ઠાકરે સ્મારકનું કામ રોકવામાં આવે.

એક તરફ મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે વૃક્ષ બચાવવાની ઝુંબેશ કરે છે તેમજ મુંબઈની આરે કોલોની માં વૃક્ષ તોડવાના મામલે મેટ્રો નું કામ અટકાવી દે છે. ત્યારે બીજી તરફ પોતાના પરિજનો નું સ્મારક બનાવવા માટે હજારો વૃક્ષોને તોડી નાખે છે.

Truck Accident મહારાષ્ટ્રના નાશિકમાં મોટો અકસ્માત ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ઓવરબ્રિજ પરથી નીચે પટકાયો વાહન, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ
Thane Twin Financial Scams ઠાણેમાં કરોડોની છેતરપિંડીના બે કૌભાંડ ટ્રેડિંગના નામે ₹૧.૨ કરોડ અને સરકારી નોકરી માટે ₹૭૦ લાખ પડાવ્યા
Ghodbunder Road Accident ઘોડબંદર રોડ પર મોટી દુર્ઘટના, ૨૬ ટનનો કન્ટેનર ટ્રક મેટ્રોના ખાડામાં ખાબક્યો
Mumbra Landslide Incident મુંબ્રામાં અચાનક જમીન ધસી પડી ૯ પરિવારોનું તાત્કાલિક સ્થળાંતર, મોટો અકસ્માત ટળ્યો
Exit mobile version