મુંબઈ ભાજપ ના નેતા રાજ પુરોહિત ની આખરે ભાજપે કદર કરી. આપ્યું આ પદ…. 

by Dr. Mayur Parikh

2019 ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપ્યા બાદ ભાજપે લગભગ દોઢ વર્ષ બાદ પૂર્વ મંત્રી રાજ પુરોહિતને સંગઠનમાં નવી જવાબદારી સોંપી છે.

પુરોહિતને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સોમવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પુરોહિતને નિમણૂક પત્ર આપ્યો હતો.

આગામી વર્ષે રાજ્યમાં મુંબઇ, થાણે સહિતના અનેક શહેરોની મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણી યોજાશે.

આ જોતા ભાજપે સંગઠનમાં પુરોહિતને જવાબદારી આપીને મુંબઈના રાજસ્થાની સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 2019 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પુરોહિતની ટિકિટ કાપીને તત્કાલીન એનસીપીના એમએલસી રાહુલ નારવેકરને કોલાબા બેઠક પરથી ઉતાર્યા હતા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More