Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે ગણેશ મૂર્તિનું વિસર્જન દરેક સોસાયટીમાં કૃત્રિમ તળાવમાં થશે, સરકાર જલ્દી આદેશ બહાર પાડે એવી શક્યતા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

2 જુલાઈ 2020

 મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઇમાં ગણેશોત્સવ ની વર્ષભર રાહ જોવાતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે ધામધૂમથી બાપ્પાના વિસર્જનની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. પરંતુ દરેક સોસાયટીએ પોતાજ પરિસરમાં કૃત્રિમ તળાવ બનાવી તેમાં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે, એવા આદેશ પ્રશાસન દ્વારા જલ્દી જ આપવામાં આવી શકે છે. ચાલુ વર્ષે ચોપાટી તેમજ મુંબઇના દરિયા કિનારા ઉપર મૂર્તિ વિસર્જન ન કરતા વધુ ને વધુ કૃત્રિમ તળાવો બનાવી સ્થાનિક ધોરણે વિસર્જન કરવા પર સરકાર જોર આપી રહી છે. આની પાછળ બે આશય છે. એક તો કોરોનાની ગાઈડલાઈન નું પાલન થઈ શકે, તેમજ દરિયાના પાણીને પ્રદૂષિત થતું બચાવવાનું છે અને આ સાથે જ સરકારે એ નિયમ પણ બનાવ્યા છે કે સાર્વજનિક ગણેશની મૂર્તિની ઊંચાઈ ચાર ફુટથી વધુ ન હોય.

 આ કૃત્રિમ તળાવ નું નિર્માણ મહારાષ્ટ્ર ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવશે. સામાન્ય રીતે મુંબઈની ગિરગાંવ ચોપાટી, શિવાજી પાર્ક, જુહુ ચોપાટી સહિત 84 જેટલા સ્થળો પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જેમાંથી આ વર્ષે 34 જગ્યા ઉપર કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. પ્રશાસન દ્વારા આ તમામ તૈયારીઓ ભીડ ને જમા થતી રોકવા માટે થઈ રહી છે. હાલ કોરોના ફેલાતો રોકવા માટે લોકો વચ્ચે એક અંતર હોવું જરૂરી છે અને એ માટે સરકાર લોકડાઉન તેમજ ધારા 144 લાગુ કરવા જેવા પગલાં પણ ઉઠાવી રહી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version