ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ભોપાલ
14 જુલાઈ 2020
બિહારમાં કોરોના રોગચાળાના વધતા જતા સંક્રમણ ને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નીતીશ સરકારે બિહારમાં ફરી એકવાર તાળાબંધી કરવાનો નિર્ણય લીધાં બાદ, 16 થી 31 જુલાઈ સુધી બિહારમાં સંપૂર્ણ લોકડાઉન થશે. આમ પહેલાથી આશંકા હતી કે બિહારમાં લોકડાઉન થઈ શકે છે. સરકારે નિર્ણય લીધો છે કે લોકડાઉન દરમિયાન બાંધકામ બંધ નહીં કરવામાં આવે, અન્ય તમામ ક્ષેત્રમાં લોકડાઉન પહેલાની જેમ રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે બિહારમાં કોરોનાની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે એટલું જ નહીં, ભાજપના 75 નેતાઓ અને કાર્યકરો કોરોના પોઝિટિવ બન્યા છે…
જાણો શું બંધ રહેશે :-
# કેન્દ્ર સરકારની કચેરીઓ બંધ રહેશે.
# રાજ્ય સરકારની કચેરીઓ બંધ રહેશે .
# આ તમામ કચેરીઓમાં લઘુતમ કર્મચારીઓ સાથે મળીને કામ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સિવાય અન્ય ઓફિસના કર્મચારીઓને 'ઘરેથી કામ' કરવાની અપીલ કરવામાં આવી છે.
# ધાર્મિક સ્થળો સંપૂર્ણ બંધ રહેશે.
# ખરીદી માટેના બજાર મૉલ બંધ રહેશે.
જાણો શું ખુલ્લું રહેશે :-
# આ લોકડાઉન દરમિયાન ફક્ત જીવન જરૂરી પ્રવૃત્તિઓ જ હાથ ધરવામાં આવશે.
# હોસ્પિટલ અને તબીબી સંબંધિત સેવાઓ ચાલુ રહેશે.
# પીડીએસ રાશન શોપ, ખાદ્ય કરિયાણા, ફળો, શાકભાજી, દૂધ, ડેરી, માંસ, માછલી, પશુ ફીડરની સેવાઓ ચાલુ રહેશે.
# બેંકો, વીમા અને એટીએમ ચાલુ રહેશે.
# પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ચાલુ રહેશે.
# પેટ્રોલ પમ્પ, એલપીજી ગેસ સેવા ચાલુ રહેશે.
# ખાનગી સુરક્ષા, ઔદ્યોગિક સેકટર અને આતિથ્ય સેવાઓ ચાલુ રહેશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com