Site icon

દુકાનો અને મૉલ સંદર્ભે આ નિર્ણય ટૂંકમાં જ લેવાશે; જાણી લો વિગત

મહારાષ્ટ્રમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મળેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે સકારાત્મક ચર્ચા થઈ છે. આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક મીડિયા હાઉસને માહિતી આપી હતી. એ મુજબ દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં લઈ શકે છે.

દુકાનો, મૉલ, રેસ્ટોરાંસ, સલૂન્સ અને પાર્લર ધીમે-ધીમે વધુ કર્મચારીઓ સાથે શરૂ કરાશે. ઉપરાંત વીકએન્ડ લૉકડાઉન માત્ર હવે રવિવાર પૂરતું જ કરવામાં આવે એવી શક્યતા ટોપેએ દર્શાવી હતી. એટલે કે દુકાનો અને મૉલ શનિવારે પણ ખુલ્લાં રહી શકશે. બીજી બાજુ ખાનગી ઑફિસો પણ 50% કર્મચારીઓની હાજરી સાથે શરૂ કરી શકાય છે, પરંતુ એ.સી. બંધ રાખવું પડશે.

Join Our WhatsApp Community

મુંબઈમાં 30 જુલાઈથી આ લોકોને મળશે ઘરમાં કોરોનાની વેક્સિન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અને તેની વિગતવાર ગાઇડલાઇન રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. જોકેઆ બેઠકમાં મુંબઈ લોકલ સંદર્ભે હજી સકારાત્મક નિર્ણય લેવાયો નથી. આગામી ૧૫ દિવસમાં એ સંદર્ભે પણ નિર્ણય લેવાશે એમ ટોપેએ ઉમેર્યું હતું.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version