Site icon

દુકાનો અને મૉલ સંદર્ભે આ નિર્ણય ટૂંકમાં જ લેવાશે; જાણી લો વિગત

મહારાષ્ટ્રમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મળેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે સકારાત્મક ચર્ચા થઈ છે. આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક મીડિયા હાઉસને માહિતી આપી હતી. એ મુજબ દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં લઈ શકે છે.

દુકાનો, મૉલ, રેસ્ટોરાંસ, સલૂન્સ અને પાર્લર ધીમે-ધીમે વધુ કર્મચારીઓ સાથે શરૂ કરાશે. ઉપરાંત વીકએન્ડ લૉકડાઉન માત્ર હવે રવિવાર પૂરતું જ કરવામાં આવે એવી શક્યતા ટોપેએ દર્શાવી હતી. એટલે કે દુકાનો અને મૉલ શનિવારે પણ ખુલ્લાં રહી શકશે. બીજી બાજુ ખાનગી ઑફિસો પણ 50% કર્મચારીઓની હાજરી સાથે શરૂ કરી શકાય છે, પરંતુ એ.સી. બંધ રાખવું પડશે.

Join Our WhatsApp Community

મુંબઈમાં 30 જુલાઈથી આ લોકોને મળશે ઘરમાં કોરોનાની વેક્સિન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અને તેની વિગતવાર ગાઇડલાઇન રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. જોકેઆ બેઠકમાં મુંબઈ લોકલ સંદર્ભે હજી સકારાત્મક નિર્ણય લેવાયો નથી. આગામી ૧૫ દિવસમાં એ સંદર્ભે પણ નિર્ણય લેવાશે એમ ટોપેએ ઉમેર્યું હતું.

Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Gujarat Gas New Connections: ગુજરાત સરકારની જાહેરાત; હોટલોને જરૂરિયાત મુજબ તરત જ મળશે PNG કનેક્શન, જાણો નવી પ્રક્રિયા અને ફાયદા
Exit mobile version