Site icon

તાઉતે વાવાઝોડાને લીધે મહારાષ્ટ્રમાં કાચબાની એક દુર્લભ પ્રજાતિનાં ઈંડાંને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

હાલમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. તેવામાં મહારાષ્ટ્રના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં કાચબાની એક દુર્લભ પ્રજાતિ ઓલિવ રિડલના ૨૯ માળખાને નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં લગભગ ૨,૦૦૦થી ૩,૦૦૦ હજાર ઈંડાં હતા.

રાજ્યના વન વિભાગ દ્વારા નિયુક્ત સ્થાનિકો આ જિલ્લાઓમાં દરિયાઈ ટર્ટલ સંરક્ષણ માટે હેચરી (ઈંડાં સેવનગૃહ) ચલાવે છે. આ મહિને ૨,૦૦૦ થી ૩,૦૦૦ હજાર ઓલિવ રિડલ ઈંડાં ઉતારવાનાં હતાં, તેને નુકસાન થયું હોવાનો ડર નિષ્ણાતોને સતાવે છે. આ બાબતે મેન્ગ્રોવ ફાઉન્ડેશનના સમુદ્રી જીવવિજ્ઞાનિક હર્ષલ કાર્વેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે સદભાગ્યે, મોટાભાગનાં ઈંડાં પહેલેથી જ એપ્રિલ અને મે દરમિયાન આવી ચૂક્યાં છે. સોમવારે ચક્રવાતને કારણે કેટલાંક માળખાંને નોંધપાત્ર રીતે નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે રત્નાગિરિના કોલથરે બીચ પર નવ, ગુહાગરમાં આઠ, ડભોલમાં બે અને કરડે, વેલાસ, અંજારલે અને ગૌહખાદી પર એક-એક માળખાને નુકસાન થયું છે. તો સિંધુદુર્ગની વાયાંગણી અને શિરોડા અનુક્રમે ચાર અને બે માળખાને નુકસાન થયું હતું.

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version