Site icon News Continuous Bureau | Mumbai

તાઉતે વાવાઝોડાને લીધે મહારાષ્ટ્રમાં કાચબાની એક દુર્લભ પ્રજાતિનાં ઈંડાંને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

હાલમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. તેવામાં મહારાષ્ટ્રના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં કાચબાની એક દુર્લભ પ્રજાતિ ઓલિવ રિડલના ૨૯ માળખાને નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં લગભગ ૨,૦૦૦થી ૩,૦૦૦ હજાર ઈંડાં હતા.

રાજ્યના વન વિભાગ દ્વારા નિયુક્ત સ્થાનિકો આ જિલ્લાઓમાં દરિયાઈ ટર્ટલ સંરક્ષણ માટે હેચરી (ઈંડાં સેવનગૃહ) ચલાવે છે. આ મહિને ૨,૦૦૦ થી ૩,૦૦૦ હજાર ઓલિવ રિડલ ઈંડાં ઉતારવાનાં હતાં, તેને નુકસાન થયું હોવાનો ડર નિષ્ણાતોને સતાવે છે. આ બાબતે મેન્ગ્રોવ ફાઉન્ડેશનના સમુદ્રી જીવવિજ્ઞાનિક હર્ષલ કાર્વેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે સદભાગ્યે, મોટાભાગનાં ઈંડાં પહેલેથી જ એપ્રિલ અને મે દરમિયાન આવી ચૂક્યાં છે. સોમવારે ચક્રવાતને કારણે કેટલાંક માળખાંને નોંધપાત્ર રીતે નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે રત્નાગિરિના કોલથરે બીચ પર નવ, ગુહાગરમાં આઠ, ડભોલમાં બે અને કરડે, વેલાસ, અંજારલે અને ગૌહખાદી પર એક-એક માળખાને નુકસાન થયું છે. તો સિંધુદુર્ગની વાયાંગણી અને શિરોડા અનુક્રમે ચાર અને બે માળખાને નુકસાન થયું હતું.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version