Site icon News Continuous Bureau | Mumbai

તાઉતે વાવાઝોડાને લીધે મહારાષ્ટ્રમાં કાચબાની એક દુર્લભ પ્રજાતિનાં ઈંડાંને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

હાલમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. તેવામાં મહારાષ્ટ્રના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં કાચબાની એક દુર્લભ પ્રજાતિ ઓલિવ રિડલના ૨૯ માળખાને નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં લગભગ ૨,૦૦૦થી ૩,૦૦૦ હજાર ઈંડાં હતા.

રાજ્યના વન વિભાગ દ્વારા નિયુક્ત સ્થાનિકો આ જિલ્લાઓમાં દરિયાઈ ટર્ટલ સંરક્ષણ માટે હેચરી (ઈંડાં સેવનગૃહ) ચલાવે છે. આ મહિને ૨,૦૦૦ થી ૩,૦૦૦ હજાર ઓલિવ રિડલ ઈંડાં ઉતારવાનાં હતાં, તેને નુકસાન થયું હોવાનો ડર નિષ્ણાતોને સતાવે છે. આ બાબતે મેન્ગ્રોવ ફાઉન્ડેશનના સમુદ્રી જીવવિજ્ઞાનિક હર્ષલ કાર્વેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે સદભાગ્યે, મોટાભાગનાં ઈંડાં પહેલેથી જ એપ્રિલ અને મે દરમિયાન આવી ચૂક્યાં છે. સોમવારે ચક્રવાતને કારણે કેટલાંક માળખાંને નોંધપાત્ર રીતે નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે રત્નાગિરિના કોલથરે બીચ પર નવ, ગુહાગરમાં આઠ, ડભોલમાં બે અને કરડે, વેલાસ, અંજારલે અને ગૌહખાદી પર એક-એક માળખાને નુકસાન થયું છે. તો સિંધુદુર્ગની વાયાંગણી અને શિરોડા અનુક્રમે ચાર અને બે માળખાને નુકસાન થયું હતું.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version