Site icon News Continuous Bureau | Mumbai

ડાકોરમાં જય રણછોડ માખણ ચોરની ગુંજ, પ્રસિદ્ધ મંદિરના દ્વાર ભક્તો માટે આજથી ખુલ્લા મુકાયાં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

18 જુન 2020

 લોકડાઉન દરમિયાન ગુજરાત સહિત દેશભરના ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે 81 થી વધુ દિવસ બાદ જગવિખ્યાત ડાકોરના રણછોડરાયના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. આની જાણ થતાં જ ભક્તો માં આનંદ જોવા મળી રહ્યો છે. 

ભગવાનના દર્શનનો લાભ લેવા માટે મંદિરમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ બે હાથની દૂરી જેટલું અંતર રાખી ઊભા રહેવું પડશે. માસ્ક પહેરવું ફરજીયાત છે. સાથે જ દસ વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધોને ડાકોરના મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

 બીજી બાજુ આટલા દિવસો બાદ મંદિર ખુલતું હોવાથી મંદિર પ્રશાસન પણ ભીડને કાબૂમાં રાખવાના ઉપાયો સાથે સજ્જ છે. જે માટે ડાકોરના સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ભીડ પર નિયંત્રણ માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે કારણકે ડાકોરમાં માત્ર ગુજરાતના જ નહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું દર્શન કરવા માટે આવતા હોય છે…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version