મરાઠા સમુદાયને આશ્વાસન આપવા મહારાષ્ટ્ર સરકારે કર્યો આ ઉપાય; હવે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને ૧૦% EWS આરક્ષણ મળશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે 2021

સોમવાર

સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ રદ કરતાં હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓ અને ઉમેદવારો શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ૧૦% આર્થિક રીતે નબળો વર્ગ (EWC) અનામતનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, આ મરાઠા ઉમેદવારો સીધીસેવા ભરતીમાં 10%EWC આરક્ષણ મેળવી શકે છે. આ અંગેનો આદેશ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર મરાઠા સમુદાયને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ સરકારે નક્કી કર્યું હતું કે રાજ્યમાં મરાઠા અનામત અમલમાં છે ત્યારે મરાઠા સમુદાય 10 ટકા EWS આરક્ષણનો લાભ નહીં લઈ શકે, પરંતુ હવે મરાઠા આરક્ષણ રદ કરવામાં આવ્યું છે, તેથી સરકારે મરાઠા સમુદાયને EWS આરક્ષણ લાભ આપવાનો નિર્ણય લીધો છે.

આ ધંધો કરનારી દુકાનો સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2019માં EWS વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ EWSહેઠળ શિક્ષણ અને જૉબ રિઝર્વેશન મેળવી શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More