Site icon News Continuous Bureau | Mumbai

મરાઠા સમુદાયને આશ્વાસન આપવા મહારાષ્ટ્ર સરકારે કર્યો આ ઉપાય; હવે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને ૧૦% EWS આરક્ષણ મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ રદ કરતાં હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓ અને ઉમેદવારો શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ૧૦% આર્થિક રીતે નબળો વર્ગ (EWC) અનામતનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, આ મરાઠા ઉમેદવારો સીધીસેવા ભરતીમાં 10%EWC આરક્ષણ મેળવી શકે છે. આ અંગેનો આદેશ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર મરાઠા સમુદાયને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ સરકારે નક્કી કર્યું હતું કે રાજ્યમાં મરાઠા અનામત અમલમાં છે ત્યારે મરાઠા સમુદાય 10 ટકા EWS આરક્ષણનો લાભ નહીં લઈ શકે, પરંતુ હવે મરાઠા આરક્ષણ રદ કરવામાં આવ્યું છે, તેથી સરકારે મરાઠા સમુદાયને EWS આરક્ષણ લાભ આપવાનો નિર્ણય લીધો છે.

આ ધંધો કરનારી દુકાનો સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2019માં EWS વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ EWSહેઠળ શિક્ષણ અને જૉબ રિઝર્વેશન મેળવી શકે છે.

Bhiwandi Apartment Parking Fire ભિવંડીમાં રહેણાંક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભીષણ આગ ૧૪ બાઇકો બળીને ખાખ..
Khopoli Railway Station Surprise Ticket Checking ખપોલી રેલવે સ્ટેશને ‘સરપ્રાઈઝ’ ટિકિટ ચેકિંગ વગર ટિકિટે મુસાફરી કરતા ૨૨૫ પ્રવાસીઓ પાસેથી ₹૯૦,૨૧૦ નો દંડ વસૂલાયો
Malad Forest Demolition Drive મુંબઈના મલાડમાં વન વિભાગનું બુલડોઝર એક્શન NDPS ડ્રગ્સ કેસમાં સંડોવાયેલાં ૯ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં
Shiv Sena Symbol Supreme Court Hearing શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં મોટો વળાંક એકનાથ શિંદેના વકીલ નીરજ કિશન કૌલે ઉદ્ધવ ઠાકરે પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Exit mobile version