Site icon

આ નગરપાલિકાએ કોરોનાને કાબૂ કરવા શરૂ કર્યો આ નવો પ્રકલ્પ; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહાબળેશ્વરને કોરોનાથી મુક્ત કરવા નગરપાલિકા કમર કસી રહી છે અને વિવિધ પગલાં લઈ રહી છે. હવે નગરપાલિકાએ નવો ઉપક્રમ શરૂ કર્યો છે. હવે હોટસ્પોટ્સ બની ગયેલી હાઉસિંગ સોસાયટીઓમાં વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવશે અને રહેવાસીઓનો એક જ સમયે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ચીફ ઓફિસર પલ્લવી પાટીલે મીડિયાને ઉપરોક્ત માહિતી આપી હતી.

નગરપાલિકાના ઘણા પ્રયત્નો  છતાં સાતારા જિલ્લામાં કોરોના કાબૂમાં આવતો નથી. મંગળવારે મુખ્ય અધિકારી પાટીલની હાજરીમાં આ પ્રકારના પરીક્ષણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ ૫૦ લોકોનાંપરીક્ષણ કરાયાં હતાં. જેમાંથી ત્રણ મહિલાઅને ત્રણ પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને હોમ આઇસોલેટ કરાયાં હતાં. ત્યાર બાદ ગણેશનગર સોસાયટી, દત્તનગર સોસાયટી, અંબિકા અને નામદેવ સોસાયટી, મુનવર સોસાયટી, જનનીમાતા સોસાયટી, જિજામાતા સોસાયટી ખાતે પણ આ શિબિર યોજાશે તેવી માહિતી મુખ્ય અધિકારી પાટીલે મીડિયાને આપી હતી.

મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનના આટલા ડોઝ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું; જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે સતારા જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે તેને કાબૂ કરવા નગરપાલિકાએ આવાંપગલાં લીધાં છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version