Site icon

Shiv Sena UBT Investigation: ઉદ્ધવ ઠાકરે જૂથની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, શિવસેના પાર્ટી ફંડમાંથી 50 કરોડ ઉપાડવાના મામલે EOWએ હવે તપાસ શરુ કરી.

Shiv Sena UBT Investigation: ગયા મહિને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ મુંબઈ પોલીસ કમિશનરને મળીને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેનાના UBT અધિકારીઓ સામે છેતરપિંડી અને ધોખાધડી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ હવે EOW એ આ મામલે તેની તપાસ શરુ કરી છે.

The trouble of Uddhav Thackeray group may increase, EOW has now started investigation in the matter of withdrawal of 50 crores from Shiv Sena party fund

The trouble of Uddhav Thackeray group may increase, EOW has now started investigation in the matter of withdrawal of 50 crores from Shiv Sena party fund

News Continuous Bureau | Mumbai 

Shiv Sena UBT Investigation: મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની ( Uddhav Balasaheb Thackeray ) પાર્ટીની મુશ્કેલીઓ હવે વધી શકે છે. EOW એ 50 કરોડના ફંડના મામલામાં હવે તપાસ શરૂ કરી છે. શિવસેના (શિંદે જૂથ)એ મુંબઈ પોલીસના EOWમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે ચૂંટણી પંચે તેમને અસલી શિવસેના જાહેર કર્યા હોવા છતાં, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટી દ્વારા પાર્ટી ફંડમાંથી ( Party Fund ) લગભગ 50 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

હવે EOWએ આ મામલે તેની તપાસ શરૂ કરી છે અને આ એકાઉન્ટ કોણ ચલાવે છે અને જે બેંક એકાઉન્ટમાંથી આ પૈસા ઉપાડવામાં આવ્યા છે. તેમાંથી કોણે પૈસા ઉપાડ્યા. તેની માહિતી બેંક પાસેથી માંગી છે. તેમજ બેંક અધિકારીઓને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા છે.

 ગયા મહિને એકનાથ શિંદેની આગેવાની હેઠળ ઉદ્ધવ જુથ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી…

એટલું જ નહીં, EOW એ આવકવેરા વિભાગને ( Income Tax Department ) એક પત્ર લખીને પણ આ માહિતી માંગી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચનો નિર્ણય આવ્યો ત્યારથી શિવસેના ( Shiv Sena Shinde group ) પાર્ટીનો ટેક્સ કોણ ચૂકવે છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023 માં, ચૂંટણી પંચે એકનાથ શિંદેની શિવસેનાને અસલી શિવસેના તરીકે જાહેર કરી હતી અને તેમને ધનુષ્યબનનું પ્રતીક પણ આપવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  ISRO: ભારતમાં ચંદ્રયાન મિશન પછી, ચંદ્ર પર પ્રથમ ભારતીયને ઉતરતા કેટલો સમય લાગશે, ઈસરો ચીફે કર્યો ખુલાસો

દરમિયાન, ગયા મહિને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ મુંબઈ પોલીસ કમિશનરને મળીને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેનાના UBT અધિકારીઓ સામે છેતરપિંડી અને ધોખાધડી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે UBT જૂથ પાર્ટીના તેમની પાસે રહેલા અધિકારો અને વિગતોનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમજ ઉદ્ધવ જુથ TDS અને આવકવેરા રિટર્નમાં પણ છેતરપિંડી કરી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Exit mobile version