Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીના મુખ્ય પ્રધાન પર આ કેન્દ્રીય પ્રધાને લગાવ્યો રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલે ગુરુવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન દ્વારા તાજેતરના સંબોધનોમાં પૃષ્ઠભૂમિમાં દર્શાવવામાં આવેલા ધ્વજમાંનો લીલો પટ્ટો વિસ્તૃત હતો, જ્યારે સફેદ પટ્ટો ઓછો હતો.

પટેલે દાવો કર્યો હતો કે આ ભારતીય ધ્વજસંહિતાનું ઉલ્લંઘન છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને સંબોધિત કરતાં પ્રહ્લાદસિંહ પટેલે જણાવ્યું હતું કે “જ્યારે પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કોઈ ટેલિવિઝન બ્રીફિંગને સંબોધન કરે છે ત્યારે મારું ધ્યાન ઘણી વાર તેમની પાછળ રાષ્ટ્રધ્વજ તરફ ખેંચાય છે. રાષ્ટ્રધ્વજનો ઉપયોગ શણગારના હેતુ માટે કરવામાં આવ્યો છે. એ બંધારણનું ઉલ્લંઘન છે."

તેમણે ઉમેર્યું હતું કે "મધ્યમ સફેદ ભાગ લીલી પટ્ટી દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યો હોય એવું લાગે છે. આ રાષ્ટ્રધ્વજ અંગેના ગૃહ મંત્રાલયના નિયમોને અનુસાર નથી. હું આને આદરણીય ચીફના ધ્યાનમાં લાવવા માગું છું.”

૧૨ વર્ષની છોકરીએ વેક્સિન માટે દિલ્હી હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં; દાખલ કરી આ અરજી, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ પત્ર તે જ દિવસે આવ્યો છે જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકારને બાળકોના ઇનોક્યુલેશન માટે શક્ય તેટલી વહેલી તકે ફાઇઝર રસી લેવાની અપીલ કરી હતી. જોકેદિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી તરફથી આ બાબતે હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version