Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત માટે સારા સમાચાર: નર્મદા ડેમની જળ સપાટી વધી, 23 હજાર ક્યુસેક પાણીની આવક થઈ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ઓગસ્ટ 2020 

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે 37 જળાશયોમાં 100 ટકાથી વધુ પાણી ભરાયા છે. જ્યારે 126 તાલુકામાં સરેરાશ બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી હાલ 128.92 થી વધુ મીટરે પહોંચી છે એટલે કે એક દિવસમાં એક ફૂટથી વધુ નો વધારો નોંધાઈ રહ્યો છે.

નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવા માટે સક્ષમ છે. ડેમમાં ઉપરવાસમાંથી 20000 થી વધુ ક્યુસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ કરવા માટે,  નર્મદા ડેમ ખાતેના 1200  મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના, તમામ યુનિટોને બંધ કરવામાં આવ્યા છે. 

બીજી બાજુ ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતાં પાણી ત્યાનું પાણી સિધુ સરદાર સરોવરમાં આવી રહ્યું છે. એટલે પણ જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે કારણ કે આ ડેમનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે. નહેરો મારફતે અંતરિયાળ ખેતરો સુધી પહોંચે છે. આથી જ હાલ ડેમના દરવાજા બંધ કરી દેવાયા છે. જે ખેડૂતોના હિતમાં જ છે.  ડેમની જળ સપાટી ઉપર આવશે અને આવનારા દિવસોમાં પાણીની અછત નહીં સર્જાય.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version