આ તારીખથી મહારાષ્ટ્રમાં થિયેટર ખુલશે. જોકે કડક નિયમોનું પાલન કરવું પડશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨/૧૦/૨૧

મંગળવાર

મહારાષ્ટ્ર નાં સાંસ્કૃતિક મંત્રી અમિત દેશમુખે જાહેરાત કરી છે કે આગામી 22 તારીખથી મહારાષ્ટ્રમાં થિયેટરો તેમજ નાટ્યગૃહ ખોલવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે મંગળવારે મોડી સાંજે નિયમાવલી જાહેર કરી છે. સરકારે જાહેર કરી નિયમાવલી મુજબ થિયેટર ૫૦ ટકા હાજરી સાથે ખુલી શકશે. આ ઉપરાંત થિયેટર ની અન્ય તમામ જગ્યાઓ એટલે કે લોબી, કાફેટેરિયા તેમજ બીજી જગ્યાઓ વાપરવા પર મનાઈ હશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે. આ ઉપરાંત થિયેટરો એ કોરોના સંદર્ભે જાહેર થયેલી ગાઈડલાઈન નું પૂર્ણ રીતે પાલન કરવું પડશે .

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી થિયેટરો બંધ હોવાને કારણે સીને સૃષ્ટિને સેંકડો કરોડનું નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment