186
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨/૧૦/૨૧
મંગળવાર
મહારાષ્ટ્ર નાં સાંસ્કૃતિક મંત્રી અમિત દેશમુખે જાહેરાત કરી છે કે આગામી 22 તારીખથી મહારાષ્ટ્રમાં થિયેટરો તેમજ નાટ્યગૃહ ખોલવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે મંગળવારે મોડી સાંજે નિયમાવલી જાહેર કરી છે. સરકારે જાહેર કરી નિયમાવલી મુજબ થિયેટર ૫૦ ટકા હાજરી સાથે ખુલી શકશે. આ ઉપરાંત થિયેટર ની અન્ય તમામ જગ્યાઓ એટલે કે લોબી, કાફેટેરિયા તેમજ બીજી જગ્યાઓ વાપરવા પર મનાઈ હશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે. આ ઉપરાંત થિયેટરો એ કોરોના સંદર્ભે જાહેર થયેલી ગાઈડલાઈન નું પૂર્ણ રીતે પાલન કરવું પડશે .
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી થિયેટરો બંધ હોવાને કારણે સીને સૃષ્ટિને સેંકડો કરોડનું નુકસાન થયું છે.
You Might Be Interested In