બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં હિન્દુઓ મસ્જિદનું ધ્યાન રાખે છે; જાણો હિન્દુઓની સહિષ્ણુતા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

ધર્મનિરપેક્ષતા ભારત દેશના સંવિધાનનો એક ભાગ છે. દેશમાં ધર્મ વચ્ચે અણબનાવના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ શું તમે કોઈ એવા ગામ વિશે સાંભળ્યું છે કે જ્યાં ફક્ત હિન્દુઓ જ વસે છે, તેમ છતાં ત્યાં મસ્જિદના નિત્યક્રમનું પણ સારી રીતે પાલન થતું હોય. તો ચાલો જાણીએ એ ગામ વિશે.

બિહારના નાલંદામાં બનેલી મસ્જિદ અને સમાધિ જોઈને બહારથી આવતા લોકો વિચારે છે કે ગામમાં મુસ્લિમોની યોગ્ય વસ્તી પણ હશે. દરરોજ સમયસર અઝાન હોય છે, મસ્જિદની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ લોકોને જાણીને આશ્ચર્ય થાય છે કે બેન પ્રખંડના માડી ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી. લગભગ 80 વર્ષથી ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, પરંતુ મસ્જિદમાંથી રોજ પાંચ વખત અઝાન આપવામાં આવે છે અને અહીં જાળવણી કરવામાં પણ  કોઈ પણ જાતની કમી નથી. હકીકતમાં ગામના હિન્દુઓ આ મસ્જિદ સાથે પણ શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે. તેઓ મંદિરો અને મસ્જિદો વચ્ચે ભેદ પાડતા નથી. મસ્જિદમાં અઝાન માટે પેન ડ્રાઇવ દ્વારા રેકૉર્ડિંગ ચલાવવામાં આવે છે, દરેક ખુશીના પ્રસંગે લોકો મસ્જિદની બહાર માથું ટેકવે છે. માનવામાં આવે છે કે જે આ નથી કરતો, તેના પર ચોક્કસ આફત આવે છે.

સફરજન અને એ પણ સફેદ? હાજી, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More