Site icon

ગુજરાતના આ શહેરમાં લેવાયો આ મોટો નિર્ણય; હવે ‘વેક્સિન નહિ, તો વ્યાપાર નહિ’ની નીતિ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

હજી તો માંડ કોરોનાની બીજી ગંભીર લહેરને કારણે લાગેલા બંધનમાંથી સહેજ બહાર આવ્યા હતા એવામાં હવે અમદાવાદમાં એક કડક નિર્ણય લેવાયો છે. હવે શહેરમાં વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત બનાવી છે. જે વેપારીએ વેક્સિન નહિ લીધી હોય તેના પર દંડાત્મક કાર્યવાહી થશે. પ્રતિબંધો બાદ ધીમે-ધીમે જ્યાં માંડ બજારો ખૂલ્યાં છે, એવામાં તંત્રના આ નિર્ણયથી વેપારીઓ મોટી તકલીફમાં મુકાયા છે.

એક મીડિયા રિપૉર્ટ અનુસાર અમદાવાદના કલેક્ટરે પરિપત્ર બહાર પાડીને આદેશ આપ્યો છે કેજે વેપારીએ વેક્સિન નહિ લીધી હોય તેમણે RTPCR નેગેટિવ રિપૉર્ટ સાથે રાખવો પડશે. હવે મહામારીના નિયમો અનુસાર અમદાવાદના વેપારીઓ પાસેથી પોલીસ વેક્સિનનું સર્ટિફિકેટ માગી શકશે અને એ પ્રસ્તુત કરવામાં નિષ્ફળ જવા પર કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ મોદીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું ‘વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા

રસીકરણ પર ભાર મૂકવા માટે અમદાવાદનું તંત્ર આ નિયમ તો લઈ આવ્યું છે, પરંતુ વેપારીઓ સ્વાભાવિકપણે આ નિર્ણયથી નારાજ થશે. તેવામાં આ નિયમ કેટલો કારગર રહેશે એ જોવું રહ્યું. ઉપરાંત તંત્રેઆટલા મોટા પ્રમાણમાં રસીની ઉપલબ્ધતા બાબતે પણ કાર્ય કરવાની ફરજ પડશે.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version