Mumbai Marathon: પશ્વિમ બંગાળની આ સ્પર્ધકે બ્રેઈન ટ્યુમરને સામે લડાઈ બાદ.. મુંબઈ મેરેથોનમાં જીત્યો બ્રોન્ઝ મેડલ.

Mumbai Marathon: મુંબઈ મેરેથોનનું આ 19 મું વર્ષ હતુ. આ વર્ષે આ મેરેથોનમાં 56 હજાર લોકોએ ભાગ લીધો હતો. જેમાં તમામ દોડવીર ઉત્સાહ સાથે જીતવા માટે આગળ વધી રહ્યો હતો. ત્યારે જાણો બ્રોન્ઝ મેડલ મેળવનાર શ્યામલીની રસપ્રદ કહાની…

by Bipin Mewada
This competitor from West Bengal won a bronze medal in the Mumbai Marathon after fighting against a brain tumor..

News Continuous Bureau | Mumbai 

Mumbai Marathon: પશ્ચિમ બંગાળની શ્યામલી સિંહે ( Shyamali Singh ) રવિવારે ટાટા મુંબઈ મેરેથોનમાં બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) જીતવા માટે તમામ અવરોધોને નકારી કાઢ્યા હતા. કારણ કે થોડા વર્ષો પહેલા તેણે બ્રેઈન ટ્યુમર ( Brain tumor ) હતું અને હાલ જ તેનું ઓપરેશન થયું હતું. 

આ ઘટના ચાર વર્ષ પહેલાં બની હતી. જ્યારે શ્યામલીએ 42-કિલોમીટરના અંતરના હાફવે પોઈન્ટની આસપાસ ઉલ્ટીની ફરિયાદ કરી હતી. સમસ્યાનું ચોક્કસ કારણ જાણવા માટે આ દંપતીને વિવિધ હોસ્પિટલોમાં પરીક્ષણોના ઘણા રાઉન્ડમાંથી પસાર થવું પડ્યું હતું, પરીક્ષણ બાદ મગજમાં એક ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. આ પછી પણ તેણે TCS રેસમાં ભાગ લીધો અને સિલ્વર મેડલ જીત્યો.

પરીક્ષણ બાદ તેનું ઓપરેશન થયુ હતું. ઓપરેશનના થોડા સમય બાદ જ તેણે મુંબઈ મેરેથોન ( Tata Mumbai Marathon ) પણ ભાગ લીધો. હતો. મેરેથોનમાં ભાગતા 25 કે 26 કિલોમીટર પછી તેને ઉલ્ટી થતી હતી. તેમ છતાં તેણે મેરેથોન પૂર્ણ કરી હતી.

મેરેથોન બાદ મીડીયા સાથે વાત કરતા આ દંપતીએ ખુલાસો કર્યો કે તેઓ વર્ષોથી ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં શ્યામલીને સાજી થતાં કોઈ રોકી નહી શક્યું નથી.

 દરેક જણ કહે છે કે રમતગમત પ્રત્યેનું આ જુસ્સો બંધ કરો પણ બીજા શું કહે છે તેની મને પરવા નથી..

શ્યામલીના પતિએ મીડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આ ઓપરેશન દરમિયાન, મેં ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી બધાને મેઈલ કર્યા, પરંતુ મને ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નહીં.”

આ સમાચાર પણ વાંચો : Ayodhya Shri Ram Mandir : અયોધ્યાનું રામ મંદિર બન્યું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું જીવંત ઉદાહરણ.. જાણો રામ મંદિર માટે ક્યા રાજ્યની કઈ વસ્તુ ઉપયોગ લેવામાં આવી છે..

શ્યામલીને તેના પગ પર ઉભી કરવા માટે થોડો સમય લાગ્યો પરંતુ તે ખુશ છે કે તેને યોગ્ય ડૉક્ટર મળ્યા જે હજી પણ તેના પર નજીકથી દેખરેખ રાખે છે. તેના પતિએ વધુમાં કહ્યું હતુ કે, “સર્જરી કરનાર ડૉક્ટરને વિશ્વાસ હતો કે આ મહિલા નવેમ્બર 2021માં સર્જરી પછી ફરીથી દોડવાનું શરૂ કરશે અને તેણે દોડવાનું પણ શરૂ કર્યું.”

શ્યામલીએ આ અંગે તેના પતિની મહેનત અને સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેણે તેના સપનાઓને હજી પણ જીવંત રાખ્યા છે. સંતોષે કહ્યું કે હંમેશા નકારાત્મક ટિપ્પણીઓ અને તમામ પ્રકારના પડકારો આવ્યા છે, પરંતુ એક દંપતી તરીકે તેઓ શ્યામલીના સપનાને જીવંત રાખવા માટે મક્કમ છે.

દરેક જણ કહે છે કે રમતગમત પ્રત્યેનું આ જુસ્સો બંધ કરો પણ બીજા શું કહે છે તેની મને પરવા નથી. હું ઓપરેશન બાદ ફરી દોડવાનું શરૂ કરવા માટે મક્કમ હતી, જ્યારે તેણી બિલકુલ દોડી શકતી ન હતી,” ત્યારે મારા પતિએ કહ્યું, જે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લાંબા અંતરના દોડવીર પણ રહી ચૂક્યા છે. “ હું હંમેશા તને સારું પ્રદર્શન કરવા અને સમસ્યાઓની ચિંતા ન કરવા માટે પ્રેરિત કરું છું.

“ઓપરેશન કરવા માટે અમારે અમારી ઘર બનાવવા માટે અગાઉ ખરીદેલી જમીન પણ વેચી દેવી પડી હતી. હાલ અમે ભાડાના ફ્લેટમાં રહીએ છીએ.

આ સમાચાર પણ વાંચો :  Amitabh bachchan: અયોધ્યા નગરી પહોંચ્યા અમિતાભ બચ્ચન, અયોધ્યા વાસીઓ એ આ રીતે કર્યું તેમનું સ્વાગત, જુઓ વિડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More